Vadodara

સ્વામી ટેઉરામજી મહારાજનાં ૧૩૮માં જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું…

સ્વામી ટેઉરામજી મહારાજના ૧૩૮મા જન્મોત્સવ નિમિત્તે ચિત્ર સ્પર્ધા તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.

સિંધી સમાજના સદગુરુ સદગુરુ સ્વામી ટેઉરામજી મહારાજના ૧૩૮મા જન્મોત્સવ નિમિત્તે વારસીયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે તા. ૭ થી ૧૩ જુલાઈ દરમિયાન વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક સ્પર્ધાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રોઇંગ કોમ્પિટિશનમાં 1200 જેટલા બાળકોએ ભાગ લીધો હતો તેમ અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું..તા.૭મીએ રવિવારે મહા આરતી તેમજ પ્રભુ પ્રાર્થના- સત્સંગ, શ્રી પ્રેમ પ્રકાશ ગ્રંથ તથા ગીતા પાઠ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૦મી જુલાઈને બુધવારે દરમિયાન શોભાયાત્રા યોજાશે વિશેષ પૂજા, મહા આરતી, પ્રભુ પ્રાર્થના, શ્રી પ્રેમ પ્રકાશ ગ્રંથ તથા શ્રીમદ્દ ભગવત ગીતા પાઠ અને ધર્મ ધ્વજા રોહણનો કાર્યક્રમ યોજાશે. કન્યા ભોજનનો કાર્યક્રમ યોજાશે. પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થના મુકેશ સાંઇ દ્વારા વિવિધ કાર્યક્રમમાં અને શોભાયાત્રામાં સમાજના લોકો તથા શહેરીજનોને જોડાવવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સમાજના અગ્રણીઓ તેમજ કોર્પોરેટર શ્રી ઉપસ્થિત રહ્યા હતા

Most Popular

To Top