Vadodara

સાધલી પાસે દોડી રહેલી એસટી બસનું ટાયર નીકળી ગયું

શિનોર: શિનોર તાલુકાના સાધલી પાસે ચાલુ ST બસનું ટાયર નીકળી જતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
શિનોર તાલુકાના સાધલી ગામ પાસે આજે સવારે ૭:૩૦ વાગે અચાનક ST બસ નું ટાયર નીકળી ગયું હતું. આજે સવારે ST અમારી સલામત સવારી ના સ્લોગન લખેલી ચાંદોદ – આણંદ વાયા સાધલી, કાયાવરોહણ, પોર, કીર્તિસ્તંભ, વડોદરા જતી ST બસનું ચાલુ બસે ટાયર નીકળી ગયું હતું. જેને લઇને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે ST બસની ગતિ ઓછી હોવાથી ડ્રાઈવરે બસને કંટ્રોલ કરી દેતાં મોટી દુર્ઘટના સાથે જાનહાનિ ટળી હતી.જા હેર છે કે ST નું સ્લોગન છે ST અમારી, સલામત સવારી. ત્યારે આજે બનેલી ઘટનાએ આ સ્લોગન પર જ સવાલો ઉભા કર્યા છે.સરકારી ST બસ ચેક કરીને મોકલે એવી બસમાં બેઠેલા મુસાફરની માગ છે. ફરી આવી ઘટના ન બને તે માટે એસ,ટીવિભાગની જવાબદારી રહેશે. એસ,ટી, તંત્ર દ્વારા ફરી આવી ઘટના ન સર્જાય તેવી તકેદારી રાખવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છેકે દર વર્ષે ઘણા અકસ્માતો સર્જાતાં હોય છે.ત્યારે ચાલુ બસે ટાયર નીકળી જવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે .આવામાં ST ની સવારી કેટલી સલામત એ મોટો પ્રશ્ન છે.

Most Popular

To Top