Vadodara

સરદાર ભવનના ખાચામાં પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલી નો કરુણ અંજામ

વેપારીઓ સાથે થયેલી મારામારીમાં 63 વર્ષીય વૃદ્ધનું મોત

મૃતક નો ફાઈલ ફોટો

સરદાર ભવનના ખાંચામાં કેટલાક સમયથી પાર્કિંગ બાબતે બોલચાલી ચાલી રહી હતી તે દરમિયાન આજે ફરી એકવાર પાર્કિંગ બાબતે વેપારીઓ દ્વારા બોલાચારી કરી અને મારામારી થતા 63 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જો કે આ બાબતે કારેલીબાગ પોલીસ મથકને જાણ થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવીને મામલો થાળે પાડ્યો હતો. અને વૃદ્ધનો મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

સરદાર ભુવનના ખાચામાં હનુમાન ચોકમાં રહેતા 63 વર્ષીય રમેશ ચંદુલાલ રાઠોડ ની માતા નું અવસાન થતા તેમના તેરમાની વિધિ ચાલી રહી હતી તે દરમિયાન પરિવારના અન્ય સભ્યો પણ વિધિમાં આવ્યા હતા ત્યારે ત્યાં વેપાર કરતા સ્ટેશનરી ના વેપારીઓ દ્વારા પાર્કિંગ બાબતે બોલા ચાલી કરીને માર મારવામાં આવ્યો હતો. મારામારી શરૂ થતા પરિવારની મહિલાઓ પણ તેઓને છોડાવવા માટે પહોંચી હતી તેઓને પણ માર મારવામાં આવ્યો હતો. જો કે 63 વર્ષીય વૃદ્ધને મુક્કા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જોકે આ બાબતે કારેલીબાગ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

માતાના તેરમાના દિવસે જ પુત્ર નું મોત

એક તરફ માતાનું મૃત્યુ થતાં પુત્ર શોકમાં મગ્ન હતો અનેક સગા સંબંધીઓ તેમના 13 માની વિધિ કરવા માટે ભેગા થયા હતા તે દરમિયાન અચાનક જ પાર્કિંગ બાબતે બોલાચાલી થતા પુત્રનું મારામારીમાં મોત નિપજ્યું હતું.

Most Popular

To Top