Vadodara

સરદારના મૂલ્યોને સાચવી નહિ શકતા નેતાઓ તેમની પ્રતિમા પણ સાચવી શકતા નથી

સાવલીના પ્રવેશ દ્વાર પર સરદાર પટેલ પ્રતિમાનું સર્કલ તૂટી ગયું, રિપેર કરવાની કોઈને દરકાર નથી

સાવલી: સાવલી નગરના પ્રવેશ દ્વાર પર બનેલી સરદાર પટેલ પ્રતિમાનું સર્કલ ટુટી જવા છતાં સરદારના નામે મત માગનારા રાજકીય પાર્ટીના હોદ્દેદારોએ રીપેરીંગની તસ્દી ન લેતા તાલુકાના સરદાર પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલનો દેશની આઝાદીમાં અને દેશના ઘડતરમાં મહત્વનો રોલ છે. આજે પણ તેઓ દેશના કરોડો લોકોના આઇકોન છે. ત્યારે દેશના અને વિદેશના ખૂણે ખૂણે તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરાય છે. ઠેર ઠેર તેમની પ્રતિમાઓ અને સ્ટેચ્યુઓ ઊભા કરવામાં આવ્યા છે. સાથે સાથે સમગ્ર દેશની જીવા દોરી એવી નર્મદા કેનાલને સરદારનું નામ આપવામાં આવ્યું છે. સાથે સાથે કેવડીયા ખાતે સરદાર પટેલની વિશ્વમાં સૌથી મોટી પ્રતિમાની સ્થાપના કરીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. સાવલી તાલુકામાં પણ નગરના પ્રવેશ દ્વાર પાસે સરદાર સાહેબની પ્રતિમા મૂકવામાં આવેલી છે. વારે તહેવારે તેમજ રાજકીય પ્રસંગ નિમિત્તે અને કોઈ હડતાલ કે આંદોલન વેળાએ રાજકીય અગ્રણીઓ સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ પાઠવે છે , પરંતુ છેલ્લા ઘણા સમયથી સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુ બનાવેલો ઓટલો કોઈ અજાણ્યા વાહનથી તૂટી જતા ભારે ચર્ચા જાગી છે. નગરમાં તેમજ તાલુકાના કહેવાતા સરદાર પ્રેમીઓ માત્ર રાજકીય હિત ખાતર જ સરદાર સાહેબના નામનો ઉપયોગ કરે છે તેવું આ પ્રતિમાના ઓટલા તરફ બેધ્યાન રહેતા તાલુકાજનોને ધ્યાને આવ્યું છે. તેના પગલે ભારે ચર્ચા જાગી છે. નગરમાં છાશવારે આંદોલન વેળાએ અને ચૂંટણી સભાઓમાં સરદાર સાહેબના નામના ગુણગાન ગાતા નેતાઓની લાપરવાહીએ સમગ્ર તાલુકા નું ધ્યાન ખેંચ્યું છે. તાલુકાના સરદાર પ્રેમીઓ lમાં ભારે ઘોર નિરાશા પ્રસરી ગઈ છે. એક ઓટલો રિપેર કરવાનો તાલુકાના નેતાઓને સમય ન મળતા ભારે ચર્ચા જાગી છે. રોજના અવર-જવર કરતા આ નેતાઓ સરદાર સાહેબની પ્રતિમાના ઓટલાને જોઈને પણ તેમનો આત્મા નથી જાગતો !! તે બાબતે ભારે વિવાદ જગાવ્યો છે. સરદાર પટેલના મૂલ્યો તો રાજકીય નેતાઓ નથી સાચવી શક્યા પરંતુ તેમની પ્રતિમા ને પણ સાચવી નથી શકતા તે બાબતે ભારે ચર્ચા જાગી છે. આવનાર સમયમાં આ બાબતે જન આંદોલન છેડાઈ તો નવાઈ નહીં !! સરદાર સાહેબની પ્રતિમાની સારસંભાળ મુદ્દે તંત્રની પણ lઉદાસીનતા એ ભારે ચર્ચા જગાવી છે. વહેલી તકે પ્રતિમાને ફરતે સર્કલ પર લોખંડની રેલિંગ અથવા અન્ય વ્યવસ્થા વહેલી તકે કરાય તેવી માંગ ઉઠી છે નહીં તો ઓટલો ધરાશાયી થવાને પગલે પ્રતિમાને નુકસાન થાય તેવી વકી છે.

Most Popular

To Top