સંતરામપુર: સંતરામપુર તાલુકામાં ડાયાલિસિસવાળા દર્દીઓને ડાયાલિસિસની સુવિધા તાલુકાની સ્ટેટ હોસ્પિટલ સંતરામપુરમાં ઉપલબ્ધ થાય તે માટે ડાયાલિસિસ યુનિટ શરુ કરાયુ છે. અહીં રોજના અંદાજે સત્તરથી અઢાર દર્દીઓઆ ડાયાલિસિસ યુનિટનો લાભ લે છે. આ ડાયાલિસિસ યુનિટમાં હાલ દસ મશીનની સુવિધા ઉપલબ્ધ છે.જેમા વધારો કરાય તે જરૂરી છે. તાજેતરમાં વાવાઝોડું ફૂંકાયું ને કમોસમી વરસાદથી ને લઈ વીજળી પ્રવાહમાં વધઘટ થતાં આ યુનિટમાં ફોલ્ટ થતાં ડાયાલિસિસ મશીનો પૈકી જનરેટર સેટ પર હાલ ત્રણ મશીન ચાલે છે ને બાકી નાં મશીનમાં ફોલટ થતાં બંધ જોવા મળે છે.

આ સ્ટેટ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવાં રોજ 18 દર્દી લાભ લેતાં હતાં.પરંતુ વીજ ફોલ્ટ થી કેટલાકમશીનમાં ફોલ્ટ થતાં જનરેટર મશીન દ્વારા હાલ ત્રણ મશીન કાયૅરત જોવા મળે છે. બાકીના મશીન બંધ જોવા મળે છે. દર્દીઓને ડાયાલિસિસ માટે કડાણા સીએચસીમાં રીફર કરાય છે. જેથી દદીઓને કડાણા જવું પડે છે અને તેથી દર્દીઓને પારાવાર હાલાકી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમયનો બગાડ થાય છે. આ સંજોગોમાં ડાયાલિસિસ યુનિટમાં જે કોઈ ફોલ્ટ ઊભો થયો છે, તે વહેલી તકે દુર કરાય ને જે ડાયાલિસિસ યુનિટો બંધ છે તે પુનઃ દર્દીઓના આરોગ્યનાં હીત માટે પુનઃ ત્વરીત શરું થાય તે માટે જિલ્લાનું તંત્ર અને સરકાર નુ આરોગ્ય વિભાગ વહેલી તકે યોગ્ય કાયૅવાહી દર્દીઓનાં હીતમાં કરે કરાવે તેવી માંગ ઉઠી છે.