Dahod

સંજેલી તાલુકામાં મેઘો મહેરબાન , ઉકળાટથી લોકોને રાહત

સંજેલી તાલુકામાં મેઘો મહેર થતાં લાંબા ગરમીના ઉકળાટ થી લોકોને રાહત મળી છે . આજરોજ સંજેલી તાલુકામાં દિવસ દરમિયાન ગરમીથી ત્રાહિમામ પોકારેલા લોકોએ બપોર પછીના સમયે મેઘરાજા મહેરબાન થતાં રાહત અનુભવી હતી . તાલુકામાં ભારે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે ગરમીથી લોકોને પણ રાહત થઈ હતી. સંજેલી તાલુકાના ખેડૂતો માટે સારા તેમજ ખરાબ બંને સમયને વેઠવાનો વારો આવ્યો છે .
પાછલા કેટલા દિવસથી ભારે વરસાદ થવાથી સંજેલી તાલુકામાં ખેડૂતોએ કરેલી ખેતીના પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે .

Most Popular

To Top