Vadodara

શીનોરની મહિલા પર તેના દિયર અને મિત્રોએ સામૂહિક બળાત્કાર કરી મારી નાંખી હતી

શિનોર: નર્મદા નદી કિનારે આવેલાકૃષ્ણેશ્વર મંદિર પાસે રહેતા વિદ્યાબેન ગત તારીખ 31 /8/ 2024 ના રોજ ગુમ થયેલા હતા અને તેની લાશ પાંચમા દિવસે ઝાડીઓમાં ઝાડ સાથે ગળુ બાંધેલી હાલતમાં નિર્વસ્ત્ર મળી આવતા તારીખ 3/9/2024 ના રોજ જાણવાજોગ નોંધ કરી અને તારીખ 4 /9/ 2024 ના રોજ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. એ બનાવમાં તપાસ દરમિયાન ચાર આરોપીની અટક કરવામાં આવતા પૂછપરછ દરમિયાન મૃતકના દિયર અને તેના મિત્રો એ મળી સામૂહિક દુષ્કૃત્ય આચરી હત્યા કરી હોવાની ચોકાવનારી વિગતો બહાર આવતા શિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એસઓજી પોલીસ એલસીબી પોલીસ તથા સ્થાનિક પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
શિનોર મુકામે નર્મદા નદી કિનારે આવેલા નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા વિદ્યા બેન રમેશ ભાઈ વસાવા તા. 31 ઓગસ્ટ ના રોજ સાંજે 6:30 વાગ્યા પછી ગુમ થઈ હતી. તેની દીકરીઓ દ્વારા તા 1 ના રોજ શિનોર પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ શોધખોળ કરવા છતાં નહિ મળતા તા. 3 ના રોજ શિનોર પોલીસ દ્વારા જાણવા જોગ દાખલ કરી હતી. તા. 4 સપ્ટેમ્બર ના રોજ તેની દીકરીઓએ વિદ્યાબેનને ઝાડીઓમા એક ઝાડ સાથે ગળુ બાંધેલી હાલત અને તદ્દન નગ્ન અવસ્થામાં જોતા હેબતાઈ ગઈ શિનોર પોલીસ ને જાણ કરી હતી. આ સમાચાર વાયુ વેગે ફેલાતા જિલ્લા પોલીસના સ્કોડ એસઓજી, એલસીબી તેમજ ડિવાયએસપી આકાશ પટેલ દોડી આવ્યા હતા. ઘટનાને ગંભીરતાથી લઇ મૃતદેહનું પી. એમ કરવા વડોદરા એસ. એસ. જી હોસ્પિટલ મોકલી આપતાં પ્રાથમિક તારણ ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. અને તેમની સાથે દુષ્કૃત્ય કર્યું છે કે નહિ તે માટે વિશેરા પણ લેવામા આવ્યા હતા. શિનોર મા છેલ્લા ચાર દિવસથી ડિવાએસપી સહીત તમામ સ્કોડ આરોપીઓ ને ઝડપી પાડવા કામે લાગી ગયા હતા. પોલીસની ઝીણવટ ભરી તપાસ અને શકમંદોની પૂછ પરછ બાદ ચાર આરોપી 1. પ્રવીણ શાના વસાવા, 2. કિરણ શના વસાવા, 3. ગંગારામ વસાવા અને 4. ચુનીલાલ મંગળ વસાવાની અટક દરમિયાન પૂછપરછમા વિદ્યાબેન વિધવા હોઈ અને તેણીનીને બીજા સાથે આડા સંબંધ હોવાની જાણ તેણીનીના દિયર કીરણ વસાવાને જાણ થતાં તે મૃતક ભાભી સાથે સંબંધ બાંધવા પ્રયત્ન કરવામા સફળતા ન મળતા મિત્રો સાથે દુષ્કૃત્ય આચરવાનો પ્લાન બનાવી ચારેય આરોપીઓએ કૃષ્ણેશ્વર ખાતે એકલા રહેતા વિધવા ભાભીની એકલતાનો લાભ લઈ ચારેય આરોપીઓએ એક કરતાં વધુ વખત સામૂહિક દુષ્કૃત્ય કરી ઝાડીઓમાં લઈ જઈ આંતર વસ્ત્રથી ગળે બાંધી હત્યા કરી હોવાનું બહાર આવ્યુ છે. આ જઘન્ય કૃત્યમાં કિરણ વસાવા મૃતકના દિયર હોવાનું બહાર આવતા શિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એલસીબી, એસઓજી, તથા સ્થાનિક પોલીસ આની સઘન તપાસ શરુ કરવામાં આવી છે.

Most Popular

To Top