Vadodara

શિનોર: મંદિરમાં સેવા કરતી મહિલાની હત્યા, નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો

શિનોર: શિનોર નર્મદા નદી કિનારે આવેલા કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરે સેવા કરી મંદિરે રહેતી આધેડ મહિલાનો મૃતદેહ ઝાડીમાં વૃક્ષ સાથે નગ્ન હાલતમાં બાંધી હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો.

શિનોર પોલીસ મથકે મૃતક મહિલાની દીકરી એ મૃતક માતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આધેડ મહિલા શિનોર નર્મદા કિનારે આવેલા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે સેવા કરતી હતી . આ મહિલા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં આવેલા નૌકા તાલીમ કેન્દ્રની ઓરડીમાં એકલી રહેતી હતી. મૃતક આધેડ મહિલા ની દીકરી, જમાઈ દ્રારા તા.31.8.2024 ના સાંજે 5 વાગેથી તા.1.9.2024 સુધી શોધ કરીહતી આધેડ મૃતક મહિલા ન મળતા તા.3.9.2024ના રોજ મૃતક મહિલાની દીકરી એ શિનોર પોલીસ મથકે નોંધાવી હતી. મહિલાની 2 દીકરીઓ પરિણીત છે.તારીખ 31 8 2024 ના રોજ ઘર સામાન ખરીદી માટે શિનોરમાં આવી હતી. ત્યારબાદ આધેડ મહિલા પોતાના ઘરે પરત ફરી ન હતી.
મૃતક આધેડ મહિલાની દીકરીએ પોતાની માતાનો ફોન પર કોન્ટેક્ટ કરતા તેઓ ફોન ઉઠાવતા ન હતા ત્યારે મૃતક આધેડ મહિલાની દીકરી અને દીકરી જમાઈ શિનોર માતાના ઘરે આવતા તેઓની શોધખોળ હાથ ધરી હતી..પરંતુ ન મળી આવતા તારીખ 3 9 2024 ના રોજ મૃતક આધેડ મહિલાની દીકરીએ શિનોર પોલીસ સ્ટેશનને માતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આજરોજ છોકરી અને છોકરી જમાઈ ફરી શોધવા નીકળ્યા હતા ત્યારે તેઓને જાળીમાં ગંધ આવતા તપાસ કરતા પુત્રીની માતાની લાશ નગ્ન હાલતમાં મોતને ઘાટ ઉતારી ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવતા દીકરી અને જમાઈના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.શિનોર પોલીસને તાત્કાલિક જાણ કરતાં તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ મૃતક મહિલા નું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top