ઈરાનનું યુદ્ધ અત્યારે એક નિર્ણાયક વળાંક પર હોય તેવું લાગે છે, પરંતુ અહીંથી તે કઈ દિશામાં જશે તે એક કોયડો છે. કોઈ જાણતું નથી. યુએસ પ્રમુખ ટ્રમ્પ પણ જાણતા નથી કે ઈરાનને લડાઈ છોડી દેવા માટે કેવી રીતે મજબૂર કરવું. ટ્રમ્પની જાહેર ટિપ્પણીઓ ઘણીવાર જમીની વાસ્તવિકતાઓથી વિપરીત હોય તેવું લાગે છે. યુએસ પ્રમુખે કહ્યું છે કે,યુદ્ધ લગભગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ નવા અમેરિકન ભૂમિ દળો – જેમાં મરીન એક્સપિડિશનરી યુનિટનો સમાવેશ થાય છે – આ પ્રદેશમાં આવી રહ્યા છે. ઈરાની ઠેકાણાંઓ પર યુએસ અને ઈઝરાયેલના બોમ્બમારા અને મિસાઇલ હુમલા અવિરત ચાલુ છે.
જાન્યુઆરી 2020માં યુએસએ રિવોલ્યુશનરી ગાર્ડ્સના સૌથી અગ્રણી કમાન્ડરોમાંના એક કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. 13 જૂન, 2025ના રોજઇઝરાયેલે 12 દિવસીય યુદ્ધના પ્રથમ દિવસે ઈરાનના લશ્કરી નેતાઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી નાખી હતી. આ હત્યાઓ ઈરાન માટે સ્પષ્ટ આંચકો છે, પરંતુ તેના ટોચના નેતાઓ અને કમાન્ડરોને ગુમાવવા છતાં, ઈરાની શાસને પોતાનું કામ જારી રાખ્યું છે અને તેનું સૈન્ય યુએસ-ઈઝરાયેલના આક્રમણ સામે લડવાનું બંધ કરવાનો ઇનકાર કરી રહ્યું છે. જો ઈઝરાયેલ અને યુએસએ એવું વિચાર્યું હોય કે નેતૃત્વને ખતમ કરવાના હુમલાઓથી ઈરાનમાં શાસન વ્યવસ્થા તૂટી પડશે, પરંતુ એવું થતું હોય તેવું લાગતું નથી.
સૌ પ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે, ઈરાનના લોકો અને તેમના નેતાઓની વિચારધારા શું છે અને તેમના ઇતિહાસનો તેના પર શું પ્રભાવ છે. ઈરાનમાં સદીઓથી રાજ્યના વ્યવહાર નક્કી કરવામાં શિયા ઈસ્લામની લાંબી પરંપરા રહી છે. જ્યારથી સફાવિદ વંશે પર્સિયન સામ્રાજ્યના સત્તાવાર ધર્મ તરીકે શિયા ઈસ્લામને અપનાવ્યો ત્યારથી ઈરાન (પર્સિયા) બહુમતી શિયા રહ્યું છે અને 1979ની ઈસ્લામિક ક્રાંતિ કે જેણે પહલવી રાજાશાહીને ઉથલાવી નાખી હતી, ત્યારથી ક્રાંતિકારી રાજ્ય બે સ્તંભો પર ટકેલું છે: રાજકીય શિયાવાદ અને રાષ્ટ્રવાદ.
ઈરાનમાં શહાદત આ બંનેના કેન્દ્રમાં રહેલી છે. શિયાઓ ઈમામ અલીથી શરૂ કરીને તેમના શહીદોને પૂજે છે. ખામેની, લારીજાની અને અન્યની હત્યા કરીને યુએસ અને ઈઝરાયેલે તેમના સમર્થકોની નજરમાં તેમને શહાદતના ઉચ્ચ સ્તરે બેસાડી દીધા છે. પયગંબર મોહમ્મદના મૃત્યુ પછી તેમના અનુયાયીઓ ઉમ્માહ (મુસ્લિમ સમુદાય)નું નેતૃત્વ કોણે કરવું જોઈએ તે મુદ્દે વિભાજિત થયા હતા. એક જૂથે અલીને ટેકો આપ્યો, જે પયગંબરના પિતરાઈ ભાઈ અને જમાઈ હતા, એવી દલીલ કરી કે, નેતૃત્વ તેમના પરિવારમાં જ રહેવું જોઈએ. અન્ય જૂથે પયગંબરના નજીકના સાથી અબુ બક્રને ટેકો આપ્યો, જે પ્રથમ ખલીફા બન્યા.
અલી પાછળથી ચોથા ખલીફા બન્યા. જેઓએ અલીને સાથ આપ્યો તેઓ શિયા [શિયાત અલી] તરીકે ઓળખાયા, જ્યારે રાશિદુન ખલીફા (અબુ બક્ર, ઉમર, ઉસ્માન અને અલી) ના અનુયાયીઓએ સુન્ની પરંપરા બનાવી. અલીનું શાસન આંતરિક સંઘર્ષોથી ભરેલું હતું અને તેમની હત્યા કરવામાં આવી હતી, જેનાથી તેઓ શિયા ઇતિહાસના પ્રથમ શહીદ બન્યા. તેમના પુત્ર હસન, જે બીજા શિયા ઈમામ હતા, તેમણે થોડા સમય માટે ખિલાફત સંભાળી પરંતુ ઉમૈયદઓના દબાણ અને ધમકીઓને કારણે તેમણે સત્તા છોડી દીધી. અલીના નાના પુત્ર હુસૈને ઉમૈયદ શાસક યઝીદને વફાદાર રહેવાનો ઇનકાર કર્યો હતો. ઈ.સ. 680માં આજના ઇરાકમાં આવેલા કરબલામાં યઝીદના સૈન્યએ હુસૈન અને તેમના 72 અનુયાયીઓની હત્યા કરી નાખી હતી.
ત્રીજા શિયા ઈમામ હુસૈનનું શિરચ્છેદ કરવામાં આવ્યું અને તેમનું મસ્તક ઉમૈયદ સત્તાના કેન્દ્ર દમસ્ક લઈ જવામાં આવ્યું. કરબલાનું યુદ્ધ શિયા ધર્મ અને રાજકીય શિયાવાદ બંનેમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આસ્થા રાખવાવાળાઓ માટે ઈમામ હુસૈન, જેમણે પોતાના જીવના ભોગે પણ સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો, તે બલિદાનના સર્વોચ્ચ આદર્શનું પ્રતીક છે. રાજકીય રીતે સક્રિય શિયાઓ માટે, ‘ભ્રષ્ટ’ યઝીદ ખિલાફત સામેનો તેમનો વિરોધ અત્યાચાર સામે નૈતિક હિંમતનું પ્રતીક છે.
દર વર્ષે વિશ્વભરના શિયા સમુદાયના લોકો મુહર્રમની 10મી તારીખે આશુરા નિમિત્તે હુસૈનની શહાદતની યાદમાં જુલૂસ કાઢે છે. ઈસ્લામિક ક્રાંતિ દરમિયાન આયાતુલ્લા ખામેનીએ શાહ મોહમ્મદ રઝા પહલવીનો વિરોધ કરવા માટે લોકોને એકત્ર કરવાના હેતુથી બલિદાન અને હિંમત બંનેનું આહ્વાન કર્યું હતું. ખામેનીએ દલીલ કરી હતી કે, રાજા નવો યઝીદ હતો. તેમણે હુસૈનના અનુયાયીઓ- ‘દબાયેલા લોકો’ને ઊભા થવા માટે આહ્વાન કર્યું અને તેઓ ઊભા થયા.લાખો લોકો, રાજકીય મતભેદો ભૂલીને આ બળવામાં જોડાયા, જેના કારણે શાહનેદેશ છોડીને ભાગી જવાની ફરજ પડી.
રાજાશાહીના પતન પછી ઈસ્લામવાદીઓએ 1979માં સત્તા કબજે કરી અને ઈસ્લામિક રિપબ્લિકની સ્થાપના કરી.ક્રાંતિ પછી ઘણા નિષ્ણાતો અને વિશ્વ નેતાઓને શંકા હતી કે, આ ધર્મ-આધારિત રાજ્ય ટકી શકશે.એક વર્ષમાં ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈને ઈરાન પર આક્રમણ કર્યું, આ આશામાં કે તેનાથી નવા બનેલા પ્રજાસત્તાકનું પતન ઝડપી બનશે.નવું રાજ્ય ક્રાંતિ પછીની વિભાજિત વ્યવસ્થાને સ્થિર કરવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. ડાબેરીઓ, ટ્રેડ યુનિયન કાર્યકરો, ઇસ્લામવાદીઓ અને ઉદારવાદીઓ બધાએ શાહનો વિરોધ કર્યો હતો, પરંતુ સત્તા પર ધર્મગુરુઓના વધતા વર્ચસ્વએ આ ગઠબંધનમાં ભાગલા પાડ્યા હતા.
પરંતુ સદ્દામના આક્રમણે સમીકરણ બદલી નાખ્યું. ઈરાનીઓ પોતાના દેશના ધ્વજ નીચે એકઠા થયા; સદ્દામને આધુનિક સમયના યઝીદ તરીકે રજૂ કરવામાં આવ્યો. યુદ્ધ ચાલુ હતું તે દરમિયાન જ ઇસ્લામિક રિપબ્લિકે કોઈપણ મોટા વિરોધ વિના દેશમાંથી ડાબેરીઓ અને ઉદારવાદીઓને દૂર કરવાનું શરૂ કર્યું. વાસ્તવમાં, આ સંઘર્ષે ધર્મગુરુઓને સત્તા પર પોતાની પકડ મજબૂત કરવામાં મદદ કરી.
૨૮ ફેબ્રુઆરીએ ખામેનીના મૃત્યુ પછી, લારીજાનીએ વારંવાર શહાદતના વિચારોને યાદ કર્યા. તેમણે કહ્યું, “ઈમામ હુસૈનના સંતાનો કોઈનાથી ડરતા નથી.” લારીજાનીની હત્યા પછીઈરાનના વર્તમાન સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ કહ્યું, “ઇસ્લામિક વ્યવસ્થાના આ વિશાળ વૃક્ષના મૂળમાં આવા લોકોનું લોહી રેડવાથી તે વધુ મજબૂત બનશે.” ઈરાનના નેતાઓ જાણે છે કે,ક્રાંતિ બાદના આ ૪૭ વર્ષોમાંઆ દેશે સૌથી ગંભીર પડકારનો સામનો કર્યો છે અને કરી રહ્યું છે, પરંતુ તેમનો જવાબ લડાઈ છોડીને ભાગી જવાનો નથી, પરંતુ ક્રાંતિકારી દેશના વૈચારિક મૂળભૂત સિદ્ધાંતો – શહાદત, બલિદાન અને વેરની ભાવનાને અપનાવવાનો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઈરાનનું યુદ્ધ અત્યારે એક નિર્ણાયક વળાંક પર હોય તેવું લાગે છે, પરંતુ અહીંથી તે કઈ દિશામાં જશે તે એક કોયડો છે. કોઈ જાણતું નથી. યુએસ પ્રમુખ ટ્રમ્પ પણ જાણતા નથી કે ઈરાનને લડાઈ છોડી દેવા માટે કેવી રીતે મજબૂર કરવું. ટ્રમ્પની જાહેર ટિપ્પણીઓ ઘણીવાર જમીની વાસ્તવિકતાઓથી વિપરીત હોય તેવું લાગે છે. યુએસ પ્રમુખે કહ્યું છે કે,યુદ્ધ લગભગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ નવા અમેરિકન ભૂમિ દળો – જેમાં મરીન એક્સપિડિશનરી યુનિટનો સમાવેશ થાય છે – આ પ્રદેશમાં આવી રહ્યા છે. ઈરાની ઠેકાણાંઓ પર યુએસ અને ઈઝરાયેલના બોમ્બમારા અને મિસાઇલ હુમલા અવિરત ચાલુ છે.
જાન્યુઆરી 2020માં યુએસએ રિવોલ્યુશનરી ગાર્ડ્સના સૌથી અગ્રણી કમાન્ડરોમાંના એક કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. 13 જૂન, 2025ના રોજઇઝરાયેલે 12 દિવસીય યુદ્ધના પ્રથમ દિવસે ઈરાનના લશ્કરી નેતાઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી નાખી હતી. આ હત્યાઓ ઈરાન માટે સ્પષ્ટ આંચકો છે, પરંતુ તેના ટોચના નેતાઓ અને કમાન્ડરોને ગુમાવવા છતાં, ઈરાની શાસને પોતાનું કામ જારી રાખ્યું છે અને તેનું સૈન્ય યુએસ-ઈઝરાયેલના આક્રમણ સામે લડવાનું બંધ કરવાનો ઇનકાર કરી રહ્યું છે. જો ઈઝરાયેલ અને યુએસએ એવું વિચાર્યું હોય કે નેતૃત્વને ખતમ કરવાના હુમલાઓથી ઈરાનમાં શાસન વ્યવસ્થા તૂટી પડશે, પરંતુ એવું થતું હોય તેવું લાગતું નથી.
સૌ પ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે, ઈરાનના લોકો અને તેમના નેતાઓની વિચારધારા શું છે અને તેમના ઇતિહાસનો તેના પર શું પ્રભાવ છે. ઈરાનમાં સદીઓથી રાજ્યના વ્યવહાર નક્કી કરવામાં શિયા ઈસ્લામની લાંબી પરંપરા રહી છે. જ્યારથી સફાવિદ વંશે પર્સિયન સામ્રાજ્યના સત્તાવાર ધર્મ તરીકે શિયા ઈસ્લામને અપનાવ્યો ત્યારથી ઈરાન (પર્સિયા) બહુમતી શિયા રહ્યું છે અને 1979ની ઈસ્લામિક ક્રાંતિ કે જેણે પહલવી રાજાશાહીને ઉથલાવી નાખી હતી, ત્યારથી ક્રાંતિકારી રાજ્ય બે સ્તંભો પર ટકેલું છે: રાજકીય શિયાવાદ અને રાષ્ટ્રવાદ.
ઈરાનમાં શહાદત આ બંનેના કેન્દ્રમાં રહેલી છે. શિયાઓ ઈમામ અલીથી શરૂ કરીને તેમના શહીદોને પૂજે છે. ખામેની, લારીજાની અને અન્યની હત્યા કરીને યુએસ અને ઈઝરાયેલે તેમના સમર્થકોની નજરમાં તેમને શહાદતના ઉચ્ચ સ્તરે બેસાડી દીધા છે. પયગંબર મોહમ્મદના મૃત્યુ પછી તેમના અનુયાયીઓ ઉમ્માહ (મુસ્લિમ સમુદાય)નું નેતૃત્વ કોણે કરવું જોઈએ તે મુદ્દે વિભાજિત થયા હતા. એક જૂથે અલીને ટેકો આપ્યો, જે પયગંબરના પિતરાઈ ભાઈ અને જમાઈ હતા, એવી દલીલ કરી કે, નેતૃત્વ તેમના પરિવારમાં જ રહેવું જોઈએ. અન્ય જૂથે પયગંબરના નજીકના સાથી અબુ બક્રને ટેકો આપ્યો, જે પ્રથમ ખલીફા બન્યા.
અલી પાછળથી ચોથા ખલીફા બન્યા. જેઓએ અલીને સાથ આપ્યો તેઓ શિયા [શિયાત અલી] તરીકે ઓળખાયા, જ્યારે રાશિદુન ખલીફા (અબુ બક્ર, ઉમર, ઉસ્માન અને અલી) ના અનુયાયીઓએ સુન્ની પરંપરા બનાવી. અલીનું શાસન આંતરિક સંઘર્ષોથી ભરેલું હતું અને તેમની હત્યા કરવામાં આવી હતી, જેનાથી તેઓ શિયા ઇતિહાસના પ્રથમ શહીદ બન્યા. તેમના પુત્ર હસન, જે બીજા શિયા ઈમામ હતા, તેમણે થોડા સમય માટે ખિલાફત સંભાળી પરંતુ ઉમૈયદઓના દબાણ અને ધમકીઓને કારણે તેમણે સત્તા છોડી દીધી. અલીના નાના પુત્ર હુસૈને ઉમૈયદ શાસક યઝીદને વફાદાર રહેવાનો ઇનકાર કર્યો હતો. ઈ.સ. 680માં આજના ઇરાકમાં આવેલા કરબલામાં યઝીદના સૈન્યએ હુસૈન અને તેમના 72 અનુયાયીઓની હત્યા કરી નાખી હતી.
ત્રીજા શિયા ઈમામ હુસૈનનું શિરચ્છેદ કરવામાં આવ્યું અને તેમનું મસ્તક ઉમૈયદ સત્તાના કેન્દ્ર દમસ્ક લઈ જવામાં આવ્યું. કરબલાનું યુદ્ધ શિયા ધર્મ અને રાજકીય શિયાવાદ બંનેમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આસ્થા રાખવાવાળાઓ માટે ઈમામ હુસૈન, જેમણે પોતાના જીવના ભોગે પણ સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો, તે બલિદાનના સર્વોચ્ચ આદર્શનું પ્રતીક છે. રાજકીય રીતે સક્રિય શિયાઓ માટે, ‘ભ્રષ્ટ’ યઝીદ ખિલાફત સામેનો તેમનો વિરોધ અત્યાચાર સામે નૈતિક હિંમતનું પ્રતીક છે.
દર વર્ષે વિશ્વભરના શિયા સમુદાયના લોકો મુહર્રમની 10મી તારીખે આશુરા નિમિત્તે હુસૈનની શહાદતની યાદમાં જુલૂસ કાઢે છે. ઈસ્લામિક ક્રાંતિ દરમિયાન આયાતુલ્લા ખામેનીએ શાહ મોહમ્મદ રઝા પહલવીનો વિરોધ કરવા માટે લોકોને એકત્ર કરવાના હેતુથી બલિદાન અને હિંમત બંનેનું આહ્વાન કર્યું હતું. ખામેનીએ દલીલ કરી હતી કે, રાજા નવો યઝીદ હતો. તેમણે હુસૈનના અનુયાયીઓ- ‘દબાયેલા લોકો’ને ઊભા થવા માટે આહ્વાન કર્યું અને તેઓ ઊભા થયા.લાખો લોકો, રાજકીય મતભેદો ભૂલીને આ બળવામાં જોડાયા, જેના કારણે શાહનેદેશ છોડીને ભાગી જવાની ફરજ પડી.
રાજાશાહીના પતન પછી ઈસ્લામવાદીઓએ 1979માં સત્તા કબજે કરી અને ઈસ્લામિક રિપબ્લિકની સ્થાપના કરી.ક્રાંતિ પછી ઘણા નિષ્ણાતો અને વિશ્વ નેતાઓને શંકા હતી કે, આ ધર્મ-આધારિત રાજ્ય ટકી શકશે.એક વર્ષમાં ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈને ઈરાન પર આક્રમણ કર્યું, આ આશામાં કે તેનાથી નવા બનેલા પ્રજાસત્તાકનું પતન ઝડપી બનશે.નવું રાજ્ય ક્રાંતિ પછીની વિભાજિત વ્યવસ્થાને સ્થિર કરવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. ડાબેરીઓ, ટ્રેડ યુનિયન કાર્યકરો, ઇસ્લામવાદીઓ અને ઉદારવાદીઓ બધાએ શાહનો વિરોધ કર્યો હતો, પરંતુ સત્તા પર ધર્મગુરુઓના વધતા વર્ચસ્વએ આ ગઠબંધનમાં ભાગલા પાડ્યા હતા.
પરંતુ સદ્દામના આક્રમણે સમીકરણ બદલી નાખ્યું. ઈરાનીઓ પોતાના દેશના ધ્વજ નીચે એકઠા થયા; સદ્દામને આધુનિક સમયના યઝીદ તરીકે રજૂ કરવામાં આવ્યો. યુદ્ધ ચાલુ હતું તે દરમિયાન જ ઇસ્લામિક રિપબ્લિકે કોઈપણ મોટા વિરોધ વિના દેશમાંથી ડાબેરીઓ અને ઉદારવાદીઓને દૂર કરવાનું શરૂ કર્યું. વાસ્તવમાં, આ સંઘર્ષે ધર્મગુરુઓને સત્તા પર પોતાની પકડ મજબૂત કરવામાં મદદ કરી.
૨૮ ફેબ્રુઆરીએ ખામેનીના મૃત્યુ પછી, લારીજાનીએ વારંવાર શહાદતના વિચારોને યાદ કર્યા. તેમણે કહ્યું, “ઈમામ હુસૈનના સંતાનો કોઈનાથી ડરતા નથી.” લારીજાનીની હત્યા પછીઈરાનના વર્તમાન સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ કહ્યું, “ઇસ્લામિક વ્યવસ્થાના આ વિશાળ વૃક્ષના મૂળમાં આવા લોકોનું લોહી રેડવાથી તે વધુ મજબૂત બનશે.” ઈરાનના નેતાઓ જાણે છે કે,ક્રાંતિ બાદના આ ૪૭ વર્ષોમાંઆ દેશે સૌથી ગંભીર પડકારનો સામનો કર્યો છે અને કરી રહ્યું છે, પરંતુ તેમનો જવાબ લડાઈ છોડીને ભાગી જવાનો નથી, પરંતુ ક્રાંતિકારી દેશના વૈચારિક મૂળભૂત સિદ્ધાંતો – શહાદત, બલિદાન અને વેરની ભાવનાને અપનાવવાનો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.