શહેરના તરસાલી ખાતે રહેતા બ્રેઇન ડેડ દિનેશભાઇ માયાવંશીના અંગદાનથી ત્રણ દર્દીઓને જીવતદાન મળશે
હાર્ટ અને લિવર યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા કિરણ હોસ્પિટલ,સુરત ખાતે તેમજ કિડની ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલવામાં આવી

(પ્રતિનિધિ) વડોદરા તા. 18
શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા વ્યક્તિ જેઓને સોમા તળાવ નજીક આવેલી સંજીવની મલ્ટિસ્પેશિયાલિટિ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાતાં પરિવાર દ્વારા તેમનાં અંગોના દાનનો નિર્ણય કરાયો હતો જેથી તેમના હાર્ટ, કિડની અને લિવર નું અમદાવાદ,સુરત અને આણંદના હોસ્પિટલમાં ગ્રીનકોરીડોર કરીને મોકલવામાં આવ્યા હતા જેનાથી ત્રણ દર્દીઓને જીવતદાન મળશે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા મૂળ માલસરના વતની 51 વર્ષીય દિનેશભાઇ છીતાભાઇ માયાવંશી ને શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટિસ્પેશિયાલિટિ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં હતાં તેઓને બ્રેઇન ડેડ થતાં પરિવારમાં તેમના પત્ની પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે આ નિર્ણયને સંજીવની મલ્ટિસ્પેશિયાલિટિ હોસ્પિટલ ના તબીબ ડો.દલપત કાતરીયાએ આવકાર્યો હતો અને અમદાવાદ ના યુ.એન.મહેતા હોસ્પિટલ તથા કિરણ હોસ્પિટલ,સુરત તેમજ ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે જરુરિયાતમંદ દર્દીઓને જીવતદાન મળી રહે તે માટેનો નિર્ણય લ ઇ જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી આજે તેઓના અંગદાન થકી ત્રણ દર્દીઓને નવજીવન આપવામાં આવશે ત્યારે તેમના લિવર ને તથા હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા કિરણ હોસ્પિટલ સુરત ખાતે તેમજ કિડનીને ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલવામાં આવ્યા હતા.આ પ્રસંગે વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલબેન પટેલ, ભાજપના વોર્ડ પ્રમુખ નરેશભાઇ રબારી, શ્રી મારુતિધામ યુવક મંડળ તરસાલી ના ભાગ્યાભાઇ સહિત હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારની પહેલને બિરદાવી હતી સાથે જ તેઓને સાંત્વના પણ પાઠવી હતી.આજે અંગદાન એ મહાદાન નિમિત્તે શહેરના સોમા તળાવ નજીક રહેતા એક નવયુગલ દંપતી કે જેઓ લગ્ન કરી તરતજ અહીં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બ્રેઇન ડેડ વ્યક્તિના પરિવારના આશિર્વાદ લીધા હતા.આ દરમિયાન તેમણે અંગદાન માટે પરિવાર દ્વારા નિર્ણયને વધાવ્યો હતો તથા પોતે આ પરિવારના આશિર્વાદ લ ઇ ધન્યતા અનુભવી હતી સાથે જ લોકોને પણ અંગદાન કરવા અનુરોધ કર્યો હતો.જ્યારે સાંસદ ડો હેમાંગ જોશીએ પણ ગુજરાતમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે રીતે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેને વધાવ્યું હતું સાથે જ માયાવંશી પરિવારના નિર્ણયને આવકાર્યો હતો.
આજે બ્રેઇન ડેડ દિનેશભાઇ માયાવંશીના અંગોને ગ્રીન કોરિડોર કરીને લઈ જતાં દરમિયાન રાષ્ટ્રગાન તથા ભારત માતા કી જય ના નાદ સાથે ફૂલોવર્ષા કરીને વિદાય આપવામાં આવી હતી આ દરમિયાન સમગ્ર હોસ્પિટલ સ્ટાફ તથા બ્રેઇન ડેડ દિનેશભાઇ માયાવંશીના સ્વજનો સાથે જ વડોદરાના સાંસદ, મ્યુનિસિપલ કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ સહિતના લોકોએ પુષ્પોથી તેમના અંગદાનને વધાવ્યું હતું. પાણીગેટ અને કપૂરાઇ પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર પાયલોટિગ કરી એમ્બ્યુલન્સ ને રવાના કરાઇ હતી. દરમિયાન કરુણાસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
