Vadodara

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી વસુંધરા સોસાયટીમાં રાજ મહેલમાં બિરાજમાન શ્રીજી…

ગણેશ ચતુર્થી થી સમગ્ર શહેર જાણે શ્રીજીમય બન્યું હોય તેવું જણાય છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કલાદર્શન થી સોમાતળાવ જવાના રોડ સ્થિત વસુંધરા સોસાયટીના મકાન નં. સી-5 ખાતે રહેતા સામાજિક આગેવાન અને શ્રી હરસિધ્ધિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા વિક્રાંતભાઇ અમાંગ તથા તેઓના પરિવાર દ્વારા સતત આઠમા વર્ષે શ્રીજીની પાંચ દિવસ માટે સ્થાપના કરી છે.

જેમાં ઘરમાં જ પારંપરિક રાજસ્થાનના રજવાડાઓ જેવી થીમ આધારિત રાજમહેલ જેવું પંડાલ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં શ્રીજી રાજા તરીકે બિરાજમાન હોય અને રાજદરબારમાં તેમના સ્વાગતમાં રાજસ્થાની સંગીત રજૂ કરવામાં આવી રહ્યું હોય તે રીતે કોઇના હાથમાં હાર્મોનિયમ, સિતાર, ઢોલ પણ દર્શાવવામાં આવ્યા છે. જેને નિહાળી આસપાસના લોકો સૌ કોઇ અભિભૂત બની રહ્યાં છે.

Most Popular

To Top