Vadodara

વેમાલી ગામથી વેમાલીના સ્મશાનગૃહ સુધીનો રસ્તો મંજૂર છતાં બિસમાર હાલતમાં….

શું આ જ છે વિકાસ? વેમાલીમા મૃતકને સ્મશાન સુધી લઇ જવું પણ અઘરું

વહેલી તકે રોડની કામગીરી શરૂ નહીં કરાય તો સામાજિક કાર્યકર અને સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી….

વડોદરા શહેરમાં આવેલ વેમાલી ગામના લોકોને મૃતકના અગ્નિસંસ્કાર માટે ગામ થી સ્મશાન સુધી જવાનો રસ્તો જ નથી.

વડોદરા શહેરમાં પુષ્કળ પ્રમાણમાં વિકાસ લક્ષી બજેટ રજૂ કરવામાં આવે છે અનેક કામો કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી માટે સોંપવામાં આવે છે પરંતુ વડોદરા શહેરમાં આવેલ ઉત્તર ઝોન વિસ્તારમાં રોજેરોજ ભુવા ખાડા પડી રહ્યા છે પરંતુ વેમાલી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે વેમાલી ગામ થી વેમાલી સ્મશાન ગૃહ જવાનાં માર્ગનું નવીનીકરણ માટે મંજૂરી પણ આપવામાં આવી હતી ત્યારબાદ થોડોક રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ કામગીરી બંધ થઈ ગઈ હતી એટલે કંઈક ને કંઈક આ રોડની કામગીરીમાં શું ભષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે તેવું સ્થાનિકોનાં મુખેથી ચર્ચાઈ રહ્યું છે ,વેમાલી વિસ્તારમાં ટુંક સમય પહેલાં એક વ્યક્તિનું અવસાન થયું હતું ત્યારે તો સ્મશાન યાત્રા ટ્રેક્ટરમાં લઇ જવી પડી હતી અને ટ્રેકટર પણ ફસાઈ ગયું હતું.અને અત્યારે પણ મૃતકને સ્મશાન સુધી લઇ જવામાં ખૂબ જ આપદા પડી રહી છે.જે તે સમયે પણ આ અગાઉ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોમાં જાણે માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે. જો કોઇ કોર્પોરેટર અથવા ધારાસભ્ય કે સાંસદનાં ઘરમાં દુઃખદ ઘટના ઘટી હોય તો તાત્કાલિક યુધ્ધના ધોરણે રાતોરાત રોડ બની ગયો હોત પરંતુ ગરીબ મધ્યમવર્ગના લોકો વેરા ભરી રહ્યા છે છતાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે. ગ્રામ પંચાયતમાંથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કર્યા બાદ ગ્રામજનો પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિ વેઠી રહ્યા હોય તેવું અનુભવી રહ્યાં છે…

Most Popular

To Top