વિધર્મી દ્વારા હિન્દુ સગીરાને ફસાવી ધાકધમકી આપી બળાત્કાર ગુજારતા તમામ હિન્દુ સંગઠનોએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં પહોંચી આરોપી વિધર્મી ને સખતમાં સખત સજા કરવાની માંગ કરી



પાદરાની એક સગીર વયની હિન્દુ યુવતીને લોભ લાલચમાં ફસાવી ત્રણેક વખત સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી સદ્દામ સામે સખતમાં સખત સજા કરવાની માંગ સાથે તમામ હિન્દુ સંગઠનોએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે.પાદરાની સગીરા સાથે વિધર્મી સદ્દામ જે વકીલ હોવાનું જાણવા મળ્યું છે તેણે સૌ પ્રથમ મિત્રના કેળવી એને હિન્દુ ધર્મ પ્રત્યે ખૂબ લગાવ હોવાનું જણાવી બે ચાર વખત હિન્દુ મંદિરમાં જઈને સગીરાને ભોળવી હતી અને મિત્રતા કર્યા બાદ તેને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો હોવાના આક્ષેપો પિડિત સગીરાએ કરતા લવજેહાદ મુદ્દે હિન્દુ એકતા સંગઠન,કરણી સેના સહિતના હિન્દુ સંગઠનોનો મોરચો અટલાદરા પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યો હતો અને લવજેહાદ ની આ ઘટનામાં દુષ્કર્મ આચરનાર વિધર્મી સદ્દામ સામે તથા તેને સમર્થન કરનાર હિન્દુ મહિલા વકીલ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.અગાઉ આ વિધર્મીના સગાએ પણ એક હિન્દુ દીકરીને લવજેહાદમા ફસાવી હોવાના આક્ષેપો કરાયા હતા વધુમાં સગીરા પર વિધર્મી દ્વારા લવજેહાદ અંતર્ગત જે અધમ કૃત્ય આચર્યા બાદ પિડિત સગીરા તથા તેના પરિવાર અને પિડિતાના સમર્થનમાં આવનાર ને ધમકી અપાયાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
