Vadodara

વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ પર દિવસ-રાત કામ કરતા કામદારો


ભીમનાથ તળાવને પણ તેના મૂળ સ્વરૂપમાં લાવવા 20 દિવસની સમયમર્યાદા

વડોદરા શહેરમાં પૂરની સ્થિતિને ઓછી કરવા માટે, અધિકારીઓએ નજીકના તળાવ અને વિશ્વામિત્રી નદીને ઊંડી, પહોળી અને સ્વચ્છ કરવા માટે એક વ્યાપક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ યુદ્ધના ધોરણે અમલમાં મુકાઈ રહ્યો છે, તેનો હેતુ 20 દિવસની ચુસ્ત સમયમર્યાદામાં ભીમનાથ તળાવને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાનો છે.

કામદારો દિવસ-રાત કામ કરી રહ્યા છે. જેથી તળાવ અને નદીને કાદવ કાઢવા, ઊંડા કરવા અને પહોળા કરવા જેવા કાર્ય પૂર્ણ કરી શકાય. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વિશ્વામિત્રી નદીની પાણી વહન ક્ષમતા વધારવાનો છે, જેનાથી શહેરમાં પૂરનું જોખમ ઘટશે.

અધિકારીઓને આશા છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટના સફળ પૂર્ણ થવાથી વર્ષોથી વડોદરા શહેરને સતાવતી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. શહેરમાં વારંવાર પૂર અને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતા રહેવાસીઓ આ પ્રોજેક્ટને લઈને ખૂબ આશાવાદ છે અને વિશ્વામિત્રી નદીનું કામ ચોમાસા પહેલા પૂર્ણ થાય અને વડોદરા શહેરને ફરીવાર પુરનો સામનો વડોદરા શહેરીજનોને ના કરવો પડે તેવી આશા છે.

Most Popular

To Top