Virpur

વિરપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ


મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વિરપુરના શિવમ પાર્ટી પ્લોટ ખાતે મનુદાદા ઓઝાની સંતવાણીથી સાત દિવસ કથાનું સુર રેલાશે આ કથામાં અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે સમુહ ગંગાપુજન સમુહ ચંડી યજ્ઞ, સમુહ યજ્ઞોપવિત, મેવાડાનો મેળાવડો, બ્રહ્મ ચોર્યાસી સહિતના કાર્યક્રમો શિવમ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે આ કથા ૧/૪/૨૫ થી ૭/૪/૨૫ દરમ્યાન બપોરના ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચાલશે આ કથાનું આયોજન શ્રીમદ્ ભાગવત કથા આયોજન સમિતિ વિરપુર તેમજ મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા દ્રારા આયોજન કરવામાં આવ્યું છે

Most Popular

To Top