Vadodara

વાસદ–રનોલી સ્ટેશનો વચ્ચે લેવામાં આવેલો બ્લોક રદ, પ્રભાવિત ટ્રેનો પુનઃ સ્થાપિત

વડોદરા: પશ્ચિમ રેલવે ના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનોની વચ્ચે બ્રિજ નંબર 624 પર રિ-ગર્ડરિંગના કામ માટે 18 જૂન 2025 (બુધવાર) ના રોજ બ્લોક લેવામાં આવ્યો હતો. ટેકનિકલ કારણોસર, 18 જૂન 2025 ના રોજ બ્લોક રદ કરવામાં આવ્યો છે. તદનુસાર 18 જૂન 2025 ના રોજ પ્રભાવિત નીચે મુજબની ટ્રેનો હવે પૂર્વ નિર્ધારિત સમયસારણી પ્રમાણે ચાલશે.

1. ટ્રેન સંખ્યા 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
2. ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
3. ટ્રેન સંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
4. ટ્રેન સંખ્યા 129૩૦ વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ
5. ટ્રેન સંખ્યા 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ
6. ટ્રેન સંખ્યા 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ
7. ટ્રેન સંખ્યા 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
8. ટ્રેન સંખ્યા 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ

ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના થી સંબંધિત વિસ્તૃત જાણકારી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Most Popular

To Top