Vadodara

વસંતપુરાનાં રહીશોએ સાવલી જીઇબીનો કર્યો ઘેરાવ




સાવલીના વસંતપુરા ગામના રહીશોએ સાવલી જી.ઇ.બીને તાળાબંધી કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ સાવલી જી. ઇ.બી. કચેરીએ આવીને ઘેરાવ કર્યો હતો અને જીઇબીનાં ગેટને બંધ કરી ધરણાં પર બેઠા હતા.




સાવલી તાલુકા અને આજુ બાજુના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લાઇટ જવાનાં બનાવોનાં લીધે લોકોમાં રોષ હતો.
નાના ભૂલકાઓ પણ લાઈટ જવાથી હેરાન પરેશાન થતાં હતા.
લોકોનું કહેવું હતું કે સાવલી જી ઈ બી ના નાયબ ઇજનેર વડોદરા રહે અને સાવલી તાલુકાના ગ્રામજનો અવારનવાર લાઈટ ન હોવાથી તકલીફો અનુભવે તેવું સાવલી જીઈબી ને શોભે છે ખરું?
ગ્રામજનો ઘર વખરીનો સમાન લઇને લાઇટ નાં મળે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર બેસી ગયા હતા. સાવલી જી.ઇ.બી ની બેદરકારીને લીધે થોડા દિવસ પહેલા એક વૃદ્ધા અને અબોલ પશુનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું..


Most Popular

To Top