Vadodara

વરસાદમાં ફસાયેલા લોકોને પોતાના ઘરે આશ્રય આપવાની ચંદ્રકાંત ભથ્થુની ઓફર

વડોદરા શહેરમાં ભારે થી અતિ ભારે વરસાદના કારણે કેટલાય લોકો ફસાયા છે. તો કેટલીય જગ્યાએ વાહનો બંધ પણ થઈ ગયા છે. વરસાદમાં ફસાયેલા લોકો માટે ક્યાં આશ્રય લેવો એ મોટો પ્રશ્ન થઈ જતો હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે માણસાઈ દેખાડતા પોતાના સોશિયલ મીડિયાના હેન્ડલ પરથી પ્રજા માટે સંદેશ મોકલ્યો છે. જેમાં ખાસ લખવામાં આવ્યું છે કે પ્રતાપનગર કે એની આસપાસ કોઈપણ વ્યક્તિ ફસાયો હાય અથવા વાહન બગડ્યું હોય, વરસાદનાં કારણે કોઈ તકલીફ પડી હોય તો મારા નિવાસસ્થાને આવી ને રહી શકે છે. આશ્રય લેનારને તમામ સુવિધા આપવામાં આવશે.

Most Popular

To Top