Vadodara

વડોદરા: ૩૮૮ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર:૧૨૭ લોકોની સલામત બચાવ કામગીરી

*

વડોદરા શહેરમાં આજે ભારે વરસાદને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક પરિવારોને સલામત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા છે અને તેમના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરીમાં વડોદરા શહેર પોલીસના જવાનો ખડે પગે રહ્યા છે.જિલ્લા પ્રશાસનની સતર્કતાને કારણે કોઈ દુર્ઘટના બનવા પામી નથી.અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ માટે જિલ્લા કલેકટર શ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ ખડેપગે રહી સરકાર તેમની પડખે છે તેની અનુભૂતિ કરાવી હતી.

ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૩૮૮ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા ૧૨૭ લોકોની સલામત બચાવ કામગીરી કરવામાં આવી છે.

Most Popular

To Top