સાવલીના ધારાસભ્યે કરેલા આક્ષેપ બાદ ડેરીના ચેરમેનનો વળતો પ્રહાર,કહ્યું આ મનરેગા યોજના નથી, અહિંયા ખોટું નહીં થવા દઉં
દીનું મામાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અહિંયા તો ખોટું નહીં થાય,નહિં થવા દઉં અને કોઇ કરશે તેને છોડું પણ નહીં
( પ્રતિનિધિ )વડોદરા,તા.2
બરોડા ડેરીના વહીવટ સામે ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના પૂર્વ અગ્રણી દ્વારા ગેરરીતિના આક્ષેપ બાદ અચાનક ડેરીના એમડીએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ફરી કેતન ઇનામદારે ગેરરીતિમાં મોટા માથાઓની સંડોવણી હોવાનો આરોપ મુક્યો હતો. જે બાદ પ્રથમ વખત ડેરીના સિનિયર આગેવાન દિનું મામા સામે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, આ મનરેગા નથી, અમે કિલોના ભાવે માલ ખરીદીએ છીએ, અને તે પ્રમાણે તેની ચૂકવણી કરી દેવામાં આવે છે. ગેરરીતિ મામલે મોટા માથાની સંડોવણી કાલે સામે આવતી હોય તો આજે આવી જાય.
વડોદરા શહેરની બરોડા ડેરીમાં ચાલતા વહીવટને લઈને ગતરોજ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે બાદ બીજા દિવસે બરોડા ડેરીના ચેરમેન દિનેશભાઇ પટેલ,દિનુમામાં પણ મેદામાં ઉતર્યા હતા. તેમણે ધારાસભ્ય કેતન ઈનામદારે કરેલા આક્ષેપ સામે મોટા માથાના નામો કાલે ખુલતા હોય તો આજે ખુલે, અમે તેનાથી ડરતા નથી. અમે ઉપરવાળાથી ડરીએ છીએ. આ મનરેગા યોજના નથી. આતો કિલો પ્રમાણે લઈએ છીએ, અને કિલો પ્રમાણે આપીએ છીએ. એટલે બાકીની વાતો ઠીક છે, પણ સહકાર મામલે જે થઇ રહ્યું છે તે તો હું પેપરમાં વાંચુ જ છું. કેતન ભાઇની પુરી જવાબદારી છે કે, તેમના વિસ્તારમાં થતા કામોમાં ભ્રષ્ટાચાર ના થાય તેની કાળજી રાખે. અહિંયા તો ખોટું નહીં થાય, નહિં થવા દઉં, અને કોઇ કરશે તેને છોડું પણ નહીં. મોટા માથા કાલે ખુલવાના હોય તો આજે ખોલાવી નાંખે. મારી પર આરોપ મુકવાના, કારણકે અમે વહીવટમાં બેઠા છીએ. વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રની આ એક સંસ્થા સારો વહીવટી કરે છે. ઘણી સંસ્થાઓ બંધ થઇ ગઇ છે. તે સંસ્થાઓ ચાલુ કરાવવા માટે કેતનભાઇ થોડો સહયોગ આપે, અને ખેડૂતોને મદદ કરવાના પ્રયાસો કરે તેવી આશા રાખું છું તેમ જણાવ્યું હતું.