Vadodara

વડોદરા : માતાજીની શોભાયાત્રામાં હાથ અડી જતા પાંચ શખ્સોએ માર મારતા કિશનવાડીના યુવકનું મોત

પ્રતિનિધિ વડોદરા તા.6

કિશનવાડી વિસ્તારમાં દશા માતાજીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે તમામ યુવકો ડાન્સ કરી રહ્યા હતા. તે દરમિયાન યુવકનો હાથ અન્યને અડી જતા પાંચ જેટલા શખ્સોએ યુવક સાથે ઝઘડો કરી તેના માથામાં કડુ મારી દીધા બાદ કરતા ગડદા પાટુનો માર માર્યો હતો. ગંભીર ઘવાયેલા યુવકને એસએસજીમાં સારવાર માટે ખસેડતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું. જેથી પાણીગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધીને પાંચ જેટલા શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના કિશનવાડી વુડા ના મકાનમાં રહેતા પિયુષ ઠાકોર તેના મિત્ર કુલદીપ સાથે 1 ઓગસ્ટના રોજ રાત્રીના સાતેક વાગે દશામાની શોભાયાત્રા જોવા સાથે ગધેડા માર્કેટ ગયા હતા. દશામાની શોભાયાત્રામાં બંને મિત્રો ગધેડા માર્કેટથી કેકરનાથ મહાદેવ મંદીર જવાના રોડ ઉપર બેન્ડવાજા આગળ નાચતા હતા અને બીજા માણસો પણ નાચતા હોય ખુબ જ ભીડ જામી હતી. તેમા એક ભાઇ સામે અડીને ચાલતા હોય પીયુશનો હાઠ તેમને અડી જતા તે ભાઈ પીયુશ સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી પીયુશે ગાળો બોલવાની ના પાડતા તે ભાઈ એકદમ ઉસ્કેરાઈને ગયો અને તેણે તેના હાથમા કડા જેવું હોય જે માથામા મારી દેતા પીયુશને લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી પીયુશ ત્યાથી દોડીને ભાગતા ડીવાઈડર સાથે અથડાતા રોડ પર પટકાયો હતો. ત્યારબાદ પીયુશને પાંચ જેટલા માર માર્યો હતો. તેના મિત્રોએ સ્થળ પર દોડી જઈ પ્રથમ માછી તેને વધુ મારમાથી છોડાવ્યો હતો. પરંતુ પિયુષ બેભાન જેવો થઈ ખાનગી હોસ્પિટલ બાદ એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે 108 એમ્બ્યુલસન્સમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પિયુષ ઠાકોરનું મોત નીપજ્યું હતું. જેથી તેની માતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top