Vadodara

વડોદરા : બે વ્યકતિના આપઘાત, ભાયલી ટીપી વિસ્તારમાં આધેડની શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકતી લાશ મળી

રાહદારીની નજર પડતા પોલીસને જાણ કરી :

તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથધરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

વડોદરા શહેરમાં મંગળવારે બે વ્યક્તિઓએ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી છે. એક યુવક કે પ્રતાપનગર બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી તો બીજી તરફ ભાયલી ટીપી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં આધેડની ઝાડ ઉપર લટકતી લાશ મળી આવતા બંને બનાવવામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં મંગળવારે બે વ્યક્તિઓએ આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સવારે પ્રતાપ નગર બ્રિજ ઉપરથી વાડી મહાદેવ તળાવ પાછળ આવેલા વુડાના મકાનમાં રહેતા રણજીત દેવીપુજક નામના યુવકે મોતની છલાંગ લગાવી દીધી હતી. આ બનાવમાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

તેવામાં બપોરે ભાયલી ટીપી વિસ્તારમાં એક આધેડની ઝાડ ઉપર લટકતી લાશ મળી આવી હતી. હાલ પ્રાથમિક તબક્કે ભાયલી ટીપી વિસ્તારમાં 45 વર્ષીય આધેડની શંકાસ્પદ હાલતમાં ઝાડ ઉપર લટકતી લાશ ત્યાંથી પસાર થતાં એક રાહદારીએ જોતાં તુરંત પોલીસને કંટ્રોલ રૂમ પર ફોન કરીને જાણ કરી હતી. જોકે આ હદ વિસ્તાર તાલુકા પોલીસ મથકનો હોવાથી બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top