Vadodara

વડોદરા – પંડ્યા બ્રિજ હવે રાત્રીના 10થી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે

બ્રિજ પરથી આખો દિવસ અવરજવર થઈ શકશે, રાત્રીના તમામ વાહનો માટે પ્રવેશબંધી

(પ્રતિનિધિ) વડોદરા તા.30

હાઇસ્પીડ રેલે પ્રોજેક્ટની કામગીરી વધુ ચાર દિવસ ચાલવાની હોય પંડ્યા બ્રિજ 1થી 4 જુલાઇ સુધી રાત્રીના 10થી વહેલી સવારે 5 વાગ્યા સુધી વાહનચાલકો માટે બંધ કરાયો છે. બ્રિજ બંધ હોવાના કારણે લોકોને ઘણી મુશ્કેલી  પડતી હોય તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રાત્રીના કામગીરી કરવાનો  નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે 20થી 30 જુનનું બ્રિજ રહેવાનું પોલીસ કમિશનરનું જાહેરનામુ પુર્ણ થતા વધુ 1થી 4 જુલાઇ સુધીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.   

અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીને લઇને પંડ્યાબ્રિજ પર ગડર લોચિંગની કામગીરી કરવામાં આવનારી  હતી. જેથી 20થી 30 જૂન સુધી ગડર લોચિંગની કામગીરી કરવામાં આવી હતી. જેથી દરમિયાન પંડ્યાબ્રિજ પરથી અવર જવર કરતા વાહનોને અકસ્માત થવાની શક્યતાના પગલે બ્રિજ પરથી અવરજ કરતા તમામ પ્રકારના વાહન ચાલકો માટે 11 દિવસ સુધી પ્રવેશબંધી કરાઇ હતી. ત્યારે રવિવારને 30 જુનના રોજ જાહેરનામુ પુર્ણ થયું હતું. પરતું ગડર લોન્ચિંગની કામગીરી હજુ ચાર દિવસ ચાલવાની હોય પોલીસ કમિશનર દ્વારા 1 જુલાઇથી 4 સુધી પંડ્યાં બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. પરંતુ ચોમાસાની ઋતુ અને લોકોને પડતી અગવડતાના ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા પંડ્યા બ્રિજ આખો દિવસ ખુલ્લો રાખવામાં આવશે અને રાત્રીના કામગીરી કરવાનું નક્કી કરાયું છે. જેથી હવે પંડ્યા બ્રિજ પર 1 થી 4 જુલાઇ સુધી રાત્રીના 10થી વહેલી સવારે 5 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહન ચાલકો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.  11 દિવસ પંડ્યા બ્રિજ બંધ રહેવાના કારણે ઘણા વાહનચાલકોના ભારે યાતનાનો સામનો કરવો પડ્યો હતો. સયાજીગંજ વિસ્તારમાં આવેલા ગરનાળામાં વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી જેથી લોકોને કલાકો સુધી હેરાન થવુ પડતું હતું. ત્યારે બ્રિજની કામગીરી 4 દિવસ ચાલવાની હોય લોકોએ હજુ થોડા દિવસ પરેશાન થવુ પડશે.

ભારે વરસાદના પગલે અલકાપુરી ગરનાળુ બંધ થઇ જાય તો પંડ્યા બ્રિજ રાત્રે ખુલ્લો કરાશે

હાઇસ્પીડ પ્રોજેકટની ગડર લોંચિંગની કામગીરીના પગલે પંડ્યા બ્રિજ 20થી 30 જુન સુધી બંધ કરાયો હતો. પરંતુ હજુ કામગીરી બાકી છે જે વધુ ચાર દિવસ ચાલે તેમ હોય જાહેરનામુ 1થી 4 જુલાઇ એટલે કે વધુ ચાર દિવસ લંબાવાયું છે. પરંતુ લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આખે દિવસ બ્રિજ ચાલુ રખાશે અને રાત્રીના કામગીરી કરવાની હોય રાત્રીના 10થી સવારે 5 વાગ્ય સુધી બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. દરમિયાન ભારે વરસાદ પડે અને અલકાપુરી ગરનાળુ પાણીથી ભરાઇ જાય તો તેવા સંજોગોમાં કંપની સાથે કરાયેલી શરતો મુજબ પંડ્યા બ્રિજ રાત્રીના સમયે વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે. જ્યોતિબેન પટેલ, ડીસીપી ટ્રાફિક

Most Popular

To Top