Vadodara

વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર..

આઈટી વિભાગના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતો હતો.

અટસ હોસ્ટેલનાં રુમમાં વિદ્યાર્થીએ અપઘાત કર્યો.

પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવતા યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી હતી.
વાઘોડિયા પાસે આવેલ પારુલ યુનિવર્સિટીમા આઇટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો નવસારીનો વિદ્યાર્થી વર્ઘન યોગેશભાઈ પટેલ (20) અટલ હોસ્ટેલમાં A-2 માં રહી ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના મિત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા બે થી ત્રણ દિવસથી તે ખૂબ ડિપ્રેશનમાં હતો. આજે બપોરે અચાનક તેના રૂમમાં સાડા ત્રણ વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસરપંખાના હુકમા દોરીનો ગાડીયો બનાવી ફાંસો ખાઈ લેતા વિદ્યાર્થીના મોત પાછળનું કારણ અકબંધ રહ્યું હતું.અટલ હોસ્ટેલના અન્ય વિઘ્યાર્થીઓએ આ ઘટનાની જાણ પારુલ યુનિવર્સિટીના હોટેલ વિભાગને કરતા વાઘોડીયા પોલીસને ઘટના અંગે જાણ કરવામા આવી હતી. વાઘોડીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી સાથી વિદ્યાર્થીઓ અને તેના મિત્રોના સ્ટેટમેન્ટ લઈ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ ઓંચીતા ભરેલા આ પગલાંએ હોસ્ટેલ અને કેમ્પસમા ચકચાર મચાવી હતી.સમગ્ર ઘટના અંગે વાઘોડિયા પોલીસે મૃતક વિઘ્યાર્થીના શબને પારુલ કોલ્ડ સ્ટોરેજમા મુકવામા આવ્યો છે.વિધ્યાર્થીના પરીજનો આવ્યા બાદ જરુરી કાર્યનાહિ કર્યાબાદ મૃતદેહ સોપાશે. આમ વિદ્યાર્થીએ અચાનક ફાંસો ખાઈ જીવન ટૂકાવતા હોસ્ટેલ અને કેમ્પસમા ચકચાર મચી ગઈ હતી.સાથી વિધ્યાર્થીઓની પુછપરછ બાદ ઘટના અંગે વાઘોડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Most Popular

To Top