વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ બાદ વડોદરા એરપોર્ટથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા. તેમને અહીંથી વિદાય આપવામાં આવી હતી.

તેઓ બે દિવસ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ એકતા પરેડ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી દિલ્હી જવા રવાના થયા ત્યારે મેયર પિન્કીબેન સોની, પોલીસ કમિશનર શ નરસિમ્હા કોમાર ઉપસ્થિત રહ્યા હતા.