(પ્રતિનિધિ) નડિયાદ, તા.24
વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન અમદાવાદ-મુંબઈ ટ્રેન રૂટ પર વટવા નજીક પડી છે. જેના કારણે ટ્રેન વ્યવહાર પર અસર થઈ છે. આ વચ્ચે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે મિશ્રા ઘટના સ્થળની મુલાકાત માટે નીકળ્યા છે.


પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ. કે. મિશ્રા નડિયાદ સુધી સ્પેશિયલ ટ્રેન મારફતે પહોંચ્યા હતા અને જ્યાં ટ્રેન રોકાવી અને 10થી 12 ગાડીઓના કાફલા સાથે રોડ માર્ગે વટવા જવા માટે રવાના થયા છે. ઘટનાની ગંભીરતા જોતા તેઓએ સ્પેશિયલ ટ્રેનને નડિયાદ રોકાવી અને રોડ માર્ગે જવાની પસંદગી કરી છે. વટવા રેલવે ટ્રેક નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર ક્રેન પડતા અકસ્માત થયો છે. જેમાં વટવા નજીક રેલવે લાઈનને નુકસાન થયુ હતુ. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તેના કારણે અમદાવાદથી નડિયાદ થઈ વડોદરા તરફ જતો ટ્રેનોનો આખા રૂટમાં અસર થઈ હતી. ખાસ કરીને વડોદરા તરફની 25 ટ્રેનો આકસ્મિક રદ્દ કરવાની ફરજ પડી હતી, જેથી છેક વટવાથી માંડી ચરોતરમાં નડિયાદ અને આંણદ સહિતના મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરો અટવાયા હતા. અમદાવાદ તરફની ટ્રેનો નડિયાદ અને આણંદ સ્ટોપ કરી દેવાઈ હતી, તો આ તરફ અમદાવાદથી પણ ટ્રેનો રદ્દ કરાઈ હતી.
