Vadodara

રેલવે સ્ટેશનનું ગરનાળુ બંધ કરતા વાહન વ્યવહાર ખોરવાયો

કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પર પાણી ભરાયાં





વડોદરા શહેરમાં વર્ષોથી ગરનાળાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ફરી એક વખત વડોદરા રેલવે સ્ટેશનનું ગરનાળું વરસાદના પાણી ભરાયા હોવાથી બંધ કરવામાં આવ્યું છે. માત્ર એક જ વરસાદમાં આ ગરનાળુ ભરાઈ જાય છે. જેથી આ વખતે મનમૂકીને વરસેલા વરસાદના કારણે ગરનાળાને બંધ કરવામાં આવ્યું છે. જેને કારણે વાહન વ્યવહારો ખોરવાતો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે, જેના કારણે વાહનવ્યવહાર કડક બજાર થઈને જેતલપુર તરફ વાડવામાં આવ્યું છે. સયાજીગંજ તેમજ અલકાપુરી તરફથી આવતા વાહનોને હવે જેતલપુર બ્રિજ પરથી જવા સિવાય કોઈ રસ્તો નથી. ગરનાળાની પરિસ્થિતિની વાત કરીએ તો, આ ગરનાળુ વડોદરાવાસીઓ માટે મહત્વપૂર્ણ માર્ગ કહેવામાં આવે છે. આ ગરનાળાથી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને સીટી બસ સ્ટેશન નજીક હોવાથી અહીંયા લોકોની અવરજવર વધારે હોય છે. આ ભાગમાં વડોદરા રેલવે સ્ટેશનનો પાછળનો ભાગ પડે છે. છેલ્લા ત્રણ દિવસ થી સાંજે સાંજે પડતા વરસાદ અને ગત રાત્રિ અત્યાર સુધી વરસાદે કરેલી બેટિંગ થી ગરનાળું પાણી થી ભરાઈ ગયું હોથી અલકાપુરી ગરનાળું બંધ કરવામાં આવ્યું છે. બેરીકેટ લગાવી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. અલકાપુરીનું આ ગરનાળું વર્ષોથી સમસ્યારૂપ રહ્યું છે. ત્યારે અહીં ગટરો ઉભરાવાની પરિસ્થિતિ બારે માસ રહે છે.
વધુમાં આ ગરનાળામાં રસ્તો ખરાબ હોવાની સાથે છત પરથી પાણી ટપકવાની, ગટરો ઉભરાવાની સમસ્યાઓ દર વર્ષે જોવા મળે છે.
ગરનાળાની સમસ્યાને લઈને લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી. દર વર્ષે ચોમાસામાં ગરનાળાની સમસ્યાને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. ત્યારે રેલવે સ્ટેશનનું ગરનાળુ બંધ સીધી અસર જેતલપુર ગરનાળા પર પડતી જોવા મળી રહી છે. રેલવે સ્ટેશનના ગરનાળાથી પસાર થનારા તમામ વાહનો જેતલપુર ગરનાળાથી અને જેતલપુર બ્રિજ પરથી પસાર થતા વાહનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સર્જાતી ગરનાળાની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો પણ રોષે ભરાયા છે. બીજી બાજુ ગરનાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી છે. જેને લઈને તમામ વાહનો જેતલપુર ગરનાળા તરફ જઈ રહ્યા છે. જ્યાં ગરનાળું નાનું હોવાથી કેટલાક વાહનો અટવાતા જોવા મળી રહ્યા છે. ત્યારે દર વર્ષે ગરનાળાની આ પરિસ્થિતિને જોતા તંત્ર કુંભ કરણની ઉંધ ઉંઘતું જોવા મળી રહ્યું છે. લોકો દ્વારા કરવામાં આવતી રજૂઆતોને ધ્યાને ન લેતા જવાબદાર અધિકારીઓની પણ ઘોર બેદરકારી સામે આવી રહી છે.

આ સાથે જ કારેલીબાગના મુક્તાનંદ સર્કલ પાસે પણ વરસાદના પાણી ભરાયાં છે.

Most Popular

To Top