Vadodara

રેલવેસ્ટેશન પાછળ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બેહોશ આધેડનુ સારવાર દરમિયાન મોત

શહેરના સનફાર્મા રોડ ખાતે રહેતા અને સયાજીગંજ રેલવે સ્ટેશન પાછળ આવેલી સોસાયટીમાં ખાનગી સિક્યુરીટીમા ફરજ બજાવતા વૃદ્ધનું બેહોશ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

વિગતવાર માહિતી મુજબ, શહેરના સનફાર્મા રોડ ખાતે આવેલી અક્ષરગ્રીન રેસિડેન્સીમા રહેતા વિપુલભાઇ કાંતિલાલ શાહ નામના 63 વર્ષીય સિનિયર સિટીઝન શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલ અરૂણવીલા સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા ગતરોજ તેઓની સવારે જોબ સમય પૂરો થઇ ગયો હતો તે દરમિયાન સોસાયટીના લોકો સવારે છ વાગ્યાની આસપાસ મોર્નિંગવોક માટે નિકળ્યા ત્યારે વિપુલભાઇ ને બેહોશીની હાલતમાં જોતાં ઇમરજન્સી 108 મારફતે તેઓને એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે સારવાર દરમિયાન સવારે 7:15 કલાકે ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી હતી. તેઓ છેલ્લા ચાર વર્ષથી ખાનગી સિક્યુરિટીમા ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યુ છે.

Most Popular

To Top