Vadodara

યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાશનકીટોનું વિતરણ કરાયું…

આજે દેશની આઝાદીમા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિકારી વિર શહિદ ભગતસિંહ ની જન્મજયંતિ નિમિત્તે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા જરુરિયાતમંદ લોકોને રાશનકીટો, બિસ્કીટ, ચોકલેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું

શહેરના વિવિધ વિસ્તારોમાં દોઢસો થી વધુ લોકોને રાશનકીટો નુ વિતરણ કરવામાં આવ્યું

દેશની આઝાદી માટે પોતાની યુવાની હસતા મોઢે કુરબાન કરનાર એવા ક્રાંતિકારી વીર શહિદ ભગતસિંહ ની આજે 117મી જન્મજયંતી નિમિત્તે શહેરના યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ અમીત તિવારી ની આગેવાનીમાં ગોત્રી તળાવ પાસેના સેલ્ફી પોઇન્ટ ખાતે શહિદ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી સાથે જ દરવર્ષની જેમ આ વર્ષે પણ જરુરિયાતમંદ લોકોને રાશનકીટો,તથા બાળકોને બિસ્કીટ, ચોકલેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે મ્યુનિ. કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ, એડવોકેટ હિતેશભાઇ, યુવા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અમીત તિવારી, મંગેશ તિવારી ,જનકભાઇ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top