Vadodara

માંજલપુરમાં શ્રીજીની પ્રતિમાઓ તોડવાના ગુનામાં એક ઝડપાયો, એકની શોધખોળ ચાલુ

ચોરીના વાયરો સંતાડવા ન દેતાં અદાવત રાખીને મૂર્તિઓ તોડી હતી

માંજલપુરમાં એકદંતા આર્ટ ખાતે મંગળવારે રાત્રે શ્રીજીની આઠ જેટલી પ્રતિમાઓની તોડફોડ કરાઇ હતી

માંજલપુર વિસ્તારમાં આવેલા એકદંતા આર્ટ નામના શ્રીજીની મૂર્તિ બનાવવાના સ્થળે કોઇ અજાણ્યા ઇસમો દ્વારા શ્રીજીની આઠ જેટલી પ્રતિમાઓની તોડફોડ કરી નુકસાન કરવાનો સાથે સાથે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોવા અંગેના આક્ષેપો એકદંતા આર્ટ ના સન્ની સપકાળ દ્વારા કરવામાં આવ્યા છે.ઘટનાને પગલે ગણેશ મંડળના સભ્યો પણ પહોંચી ગયા હતા સમગ્ર મામલે માંજલપુર પોલીસે એક ઇસમ અક્ષય ભાઇલાલભાઇ માળીને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે, ગત તા. 21 જૂનના રોજ ચોરીના વિજ વાયરો મૂર્તિના ડાય થી સંતાડવાનુ ના પાડતાં એ અદાવતે મંગળવારે મધરાતે અક્ષય ભાઇલાલભાઇ માળી તથા ધવલ ઠાકોરે પ્રતિમાઓની તોડફોડ કરી હતી જેમાં આક્ષય ભાઇલાલભાઇ માળી ને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે ધવલ ઠાકોરની શોધખોળ ચાલુ છે સાથે જ આ વાયરો ક્યાંથી ચોર્યા છે તેની તપાસ પણ ચાલુ છે ત્યારે સમગ્ર મામલે એસીપી પ્રણવ કટારિયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

Most Popular

To Top