Vadodara

મલાઈનો ખેલ, નવાયાર્ડથી છાણી વચ્ચે હજુ 10 વર્ષ ચાલે એવા પથ્થરો બદલવાની કામગીરી

મજબૂત ડિવાઈડર પથ્થરો બદલવાની કામગીરી પર નાગરિકોનો આક્રોશ

વડોદરા: નવાયાર્ડથી છાણી સુધીના રોડ વચ્ચેના પથ્થરો હજી દશકોથી ચાલવા લાયક હોવા છતાં, પાલિકાની આ કામગીરીને વેરાના પૈસાનો વેડફાટ ગણાવી સ્થાનિક આગેવાને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી, ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી છે.

વડોદરામાં નવાયાર્ડથી છાણી સુધીના રોડ વચ્ચે મજબૂત ડિવાઈડર પથ્થરો બદલવાની મહાનગર પાલિકાની કામગીરી સામે નાગરિકો અને સામાજિક આગેવાને કડક વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક આગેવાને જૂના પથ્થરો સાથે પાલિકા વડી કચેરીમાં પહોંચી આ પથ્થરો હજી 10 થી 20 વર્ષ સુધી ચાલે તેવા હોવાનો દાવો કર્યો છે. તેમણે પાલિકાની આ કામગીરીને નાગરિકોના વેરાના પૈસાનો વેડફાટ ગણાવી, આ બદલાવ માટે મંજૂરી આપનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

આક્ષેપો અનુસાર, હાલ લગાવવામાં આવતા નવા પથ્થરો તકલાદી છે અને આ બદલાવ માત્ર દેખાવ માટે કરવામાં આવી રહ્યો છે, જેનાથી ભ્રષ્ટાચારની શંકા ઊભી થઈ છે. નાગરિકો અને સામાજિક સંગઠનો હવે આ મામલે પારદર્શકતા અને યોગ્ય જવાબદારીની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top