Vadodara

નાયકવાલા સહિત ઇજનેરોના સસ્પેન્શન બાદ વડોદરામાં બે અધિકારીઓની તાત્કાલિક નિમણૂક

ગંભીરા બ્રિજ દર્ઘટનાને પગલે બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા પછી રાજ્યના માર્ગ અને મકાન વિભાગે નવા બે અધિકારીઓની નિમણૂક કરી છે. વર્ગ-1ના અધિકારી કૌશલ બ્રહ્મભટ્ટને અમદાવાદથી બદલી કરીને વડોદરા જિલ્લા માર્ગ વિભાગમાં મોકલાયા છે. જ્યારે વર્ગ-2ના અધિકારી અક્ષયકુમાર જોષીની ડભોઈથી બદલી કરીને પેઇંગ વિભાગ-1, વડોદરામાં નિમણૂક કરાઈ છે. બંનેને તરત જ નવી જગ્યાએ હાજર થવા અને ઇમેઇલ દ્વારા હાજરીની જાણ કરવી ફરજિયાત છે. આ બદલી તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. સરકારે આ બદલી નિયમિત વહીવટી પ્રક્રિયા મુજબ કરવામાં આવી હોવાનું કહ્યું છે.

Most Popular

To Top