Vadodara

નવજીવન હોસ્પિટલ ખાતે ગર્ભવતી મહિલા નું મોત નીપજતા હોબાળો

વારસિયા રીંગરોડ વિસ્તારમાં આવેલા નવજીવન પ્રસુતિ ગૃહ ખાતે 25 વર્ષીય મહિલા ડિલિવરી માટે દાખલ થઈ હતી ડીલેવરી પૂર્વે પણ હોસ્પિટલની જ સારવાર લેતી હતી ગર્ભવતી મહિલા ને 9 મહિના ઉપરાંત નો સમયગાળો થઈ જવા છતાં પણ ડોક્ટરે કોઈ પણ કાર્યવાહી ન કરી હોવાનો પરિવાર જનોએ આક્ષેપ લગાવ્યો હતો.

25 વર્ષીય મહિલાને દુખાવો ઉપાડતા શુક્રવારે સવારે છ વાગે તે નવજીવન હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી તે દરમિયાન હોસ્પિટલના સ્ટાફે તપાસ કરતા તે સામાન્ય હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેને બપોરે 1:00 વાગે ડિલિવરી માટે લઈ જતા અચાનક જ તેને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારજનો એ હોબાળો મચાવ્યો હતો. માતા અને બાળકનું મૃત્યુ થઈ જવાની જાણ પણ પરિવારજનોને ડોક્ટરે ન કરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો, માતાનો મૃત્યુ થઈ જવાની જાણ તબીબોને થતા તેઓ તાત્કાલિક જ આ બનાવ અંગે વારસિયા પોલીસને જાણ કરીને ઘટના સ્થળે બોલાવી લીધા હતા બાદમાં પરિવારજનોને જણાવતા હતો . પોલીસ આવ્યા બાદ પણ ગર્ભવતી માતાનું મોઢું પરિવારજનોને જોવા ન મળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ આવતા મામલો બીચકયો હતો. જેને કારણે મૃતકના પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સાથે જ હોસ્પિટલમાં તોડફોડ પણ થઈ હતી

Most Popular

To Top