Charotar

નડિયાદમાં આધેડ રીક્ષા ચાલકનું ભેદી સંજોગોમાં મોત થતા ચકચાર…


મૃતક પરીવારની માંગણીના પગલે નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ..

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક 55 વર્ષિય રિક્ષા ચાલકનું ભેદી સંજોગોમાં મોત નિપજ્યાની ‌ઘટના સામે આવી છે. જે આધારે પશ્ચિમ પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ કરતા હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પરંતુ પરિવારના મોભીનું એકાએક મોતથી પરિવારમાં શોક પ્રર્વતી ગયો છે.
નડિયાદ તલાટી બાગ સામે રહેતા 55 વર્ષિય જયંતીભાઈ સોમાભાઈ વાંસફોડા રીક્ષા ચલાવી પરિવારનું જીવન નિર્વાહ કરે છે. તેઓ ગઈકાલે ગુરુવારે રાત્રે રીક્ષાલઇ નડિયાદ પશ્ચિમ સીટી ઇલેવન કોમ્પલેક્ષ,નહેર ઉપરથી પસાર થતા હતા ત્યારે અચાનક રીક્ષા ચાલકનું આકસ્મિક મોત નિપજ્યુ હતુ. આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓએ તુરંત જ ઘટના સ્થળે દોડી જઈ રીક્ષા ચાલક જયંતીભાઈ વાંસફોડાને સિવિલ હોસ્પિટલ નડિયાદ લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ બનાવ મામલે પરિવારજનોએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે પહોંચી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવ્યું હતું. જ્યાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં રીક્ષા ચાલકનું હૃદય રોગના હુમલાથી મોત થયું હોવાનું જણાઇ આવ્યું હતુ. આ બનાવ અંગે અમરબેન શંકરભાઈ વાંસફોડાએ જાણ કરતા નડિયાદ પશ્ચિમ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી છે. પરંતુ પરિવારજનોએ જણાવ્યું કે, હદય રોગથી નહીં પણ રહસ્યમય રીતે મોત નિપજ્યું છે. ત્યારે પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Most Popular

To Top