Vadodara

દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહના નિધનને પગલે કલેકટર કચેરી સહિત સરકારી કચેરી ખાતે અડધી કાઠીએ તિરંગો ફરકાવવામાં આવ્યો

દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ ના નિધનને પગલે દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો, કલેકટર કચેરી સહિત સરકારી કચેરી ખાતે અડધી કાઠીએ તિરંગો ફરકાવવામાં આવ્યો

1990ના દાયકાની શરૂઆતમાં આર્થિક ઉદારીકરણની નીતિના જનક રહેલા એવા દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું લાંબી બિમારી બાદ 92વર્ષની જૈફ વયે ગુરુવારે રાત્રે 9:51 કલાકે નિધન થયું હતું. ડો.મનમોહનસિંહ વર્ષ -2004 થી 2014 દરમિયાન બે ટર્મ માટે દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા તેઓ 1991 થી 1996સુધી કેન્દ્રીય નાણામંત્રી તરીકે રહ્યા હતાં તેઓ 1991 થી 2019સુધી આસામ તથા વર્ષ 2019 થી રાજસ્થાન થી રાજ્યસભાના સાંસદ રહ્યા હતાં તેઓ મૃદુભાષી હતા સાથે જ તેઓ ખૂબ સારા અર્થશાસ્ત્રી હતા તેઓના નિધનના સમાચારને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો તથા દેશભરમાં સાત દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે વડોદરા શહેર જિલ્લા કલેકટર કચેરી સહિતના સરકારી ઇમારતો ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાશે.

Most Popular

To Top