Dahod

દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 71 કરોડનું કૌભાંડ, 4 કર્મચારીની ધરપકડ


દેવગઢ બારીઆ-ધાનપુરમાં અધૂરા કામો પૂર્ણ બતાવ્યા

તપાસમાં મોટા માથાઓની સંડોવણી ખુલી શકે

દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં 71 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીના અહેવાલ બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 4 કર્મચારીની ધરપકડ કરી છે.



નાણાકીય વર્ષ 2021થી 2025 દરમિયાન દેવગઢ બારીઆના કુવા, રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામમાં કામગીરી અધૂરી હોવા છતાં પૂર્ણ બતાવવામાં આવી હતી. પોલીસે મનરેગા શાખાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી, મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ તથા મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગામોમાં મનરેગાના 20 ટકા કામો પણ સ્થળ પર થયા નથી. દેવગઢ બારીઆની 28 અને ધાનપુરની 7 માલસામાન સપ્લાય કરતી એજન્સીઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુલ 35 એજન્સીઓના પ્રોપ્રાઈટર, મનરેગા શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કૌભાંડમાં મોટા રાજકીય નેતાઓના નામો બહાર આવવાની શક્યતા છે. આ ઘટનાથી જિલ્લાના અન્ય તાલુકાઓના મનરેગા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે તપાસને વેગ આપ્યો છે અને વધુ ખુલાસા થવાની સંભાવના છે. આ કૌભાંડે ગરીબોને રોજગારી આપવાના ઉદ્દેશવાળી મનરેગા યોજનાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

Most Popular

To Top