દાહોદમાં મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર : વહીવટી કામગીરી પર અસર થશે
દાહોદ તા.૦૩
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે રાજ્યવ્યાપી બદલીઓના ભાગરૂપે મોટો નિર્ણય લીધો છે. દાહોદ જિલ્લામાંથી 21 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જ્યારે માત્ર 3 નવા નાયબ મામલતદારોની નિમણૂક કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગે કુલ 157 વર્ગ-3ના કર્મચારીઓની રાજ્યવ્યાપી બદલીઓ કરી છે. આ બદલીઓથી દાહોદ જિલ્લાની વહીવટી કામગીરી પર અસર પડવાની શક્યતા છે. દાહોદથી બદલી થયેલા અધિકારીઓમાં સાબરકાંઠામાં 6, ડાંગમાં 3, બનાસકાંઠામાં 2 અને અન્ય જિલ્લાઓમાં 1-1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. દાહોદમાં નવી નિમણૂક પામેલા ત્રણ અધિકારીઓમાં ગાંધીનગરથી કલ્પેશ વી. રાવ, સુરતથી સુરજબેન નારસિંગભાઈ મકવાણા અને ભરૂચથી સ્નેહલકુમારી સી. બામણીયાનો સમાવેશ થાય છે. આ બદલીઓથી વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે જિલ્લામાંથી મોટી સંખ્યામાં અધિકારીઓની બદલી થઈ છે, જ્યારે નવા અધિકારીઓની નિમણૂક ઓછી સંખ્યામાં કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં જિલ્લાના વહીવટી કામકાજ પર અસર પડવાની સંભાવના છે.
એમ
• (1)હિરેન.આર.ચૌધરી સાબરકાંઠા
• (2)તેજલ પી. ગામીત તાપી
• (3)ડી.એમ.મોદી બનાસકાંઠા.
• (4)એચ.એસ જોશી ડાંગ
• (5)નિસર્ગ.આર.દેસાઈ ખેડા
• (6)તરલકુમાર જીવાલુભાઇ પટેલ નવસારી
• (7)એચ.પી.નલવાયા દેવભૂમિ દ્વારકા
• (8)અરવિંદ શિકાજીભાઈ મહીડા,વડોદરા
• (9)કેયુર.જે.રાણા અરવલ્લી
• (10)હેમાબેન એચ.સુથાર પાટણ
• (11)હાર્દિક વી.નાયક વલસાડ
• (12)રવિન્દ્ર એન. ડામોર ડાંગ
• (13)બલરાજસિંગ રાઠોડ સાબરકાંઠા
• (14)ડી.આર ગરાસીયા ડાંગ
• (15)ડી.એચ બોરીચા, ભાવનગર
• (16)ધવલ પી પટેલ સાબરકાંઠા
• (17)સંગીતાબેન રવજીભાઈ ડામોર પંચમહાલ
• (18)ફાલ્ગુની આર.પટેલ સાબરકાંઠા
• (19)હરેશકુમાર એન.પરમાર બનાસકાંઠા
• (20)દર્શન ડી.પટેલ સાબરકાંઠા
(21) કારવીશ.પી.પ્રજાપતિ સાબરકાંઠા
