દાહોદ એપીએમસીમાં આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે સહકારી સંઘમાંથી બે ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા..
એપીએમસીના ઇલેક્શનમાં વેપારીમાંથી ચાર, ખેડૂતમાંથી 18 મળી 24 ઉમેદવારો મેદાનમાં…
દાહોદ: દાહોદની એપીએમસીની ચુંટણીનો માહૌલમાં ગરમાવા સાથે રસાકસીનો માહૌલ જોવા મળી રહ્યો છે. આજરોજ ઉમેદવારી પત્રો ખેંચવાની અંતિમ તારીખે માહૌલ ભારે ગરમાયો હતો ત્યારે બે ઉમેદવારો બીન હરીફ ચુંટાઈ આવ્યાં હતાં તો બીજી તરફ ભાજપના ત્રણ ઉમેદવારોએ બળવો કરતાં માહૌલ ગરમાયો છે. ભાજપે આ ત્રણેને સસ્પેન્ડ કરી દીધા છે. હવે ખેડુત મંડળીમાં ૧૮ અને વેપારી મંડળમાં ૦૬ ઉમેદવારો મળી કુલ ૨૪ ઉમેદવારો મેદાનમાં છે.
દાહોદની એપીએમસીની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ ચુંટણીમાં નવા વળાંક સામે આવી રહ્યાં છે. એપીએમસીની ચુંટણીમાં અગાઉથી બળવાના એંધાણો વર્તાઈ રહ્યાં હતાં ત્યારે આજરોજ ઉમેદવારી પત્રો ખેંચવાની અંતિમ તારીખે માહૌલ ગરમાયો હતો. જેમાં ખેડુત મંડળીના ઉમેદવારોમાંથી ૦૪ ફોર્મ ખેંચાતા ૧૮ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. તો વેપારી મંડળમાં ૦૮ ફોર્મ ખેંચાતા ૦૬ ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે બીજી તરફ ભાજપના ખેડુત મંડળીમાંથી મનુભાઈ માવી અને નગરસિંહ પલાસે તેમજ વેપારી મંડળમાં કમલેશ રાઠીએ બળવો કરતાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. બીજી તરફ આ એપીએમસીની ચુંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. જેમાં હરેન્દ્રસિંહ નાયક અને વજેસિંહ પણદા કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર જાહેર થયાં છે. જોકે સહકારી સંઘમાંથી દાહોદના ધારાસભ્ય કનૈયા કિશોરીના બાપુજી બચુભાઈ કિશોરી તેમજ મેળા બાબુભાઈ રામજીભાઈ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. હવે આગામી ૧૭મી ઓક્ટોબર રોજ મતદાન અને બીજા દિવસે એટલે કે, તારીખ ૧૮મીના રોજ મતગણતરી થનાર છે.
ખેડુત મંડળીના ઉમેદવારોની યાદી..
(૧) પણદા વજેસિંગભાઈ પારસિંગભાઈ
(૨) મેડા નિકુંજકુમાર કલસિંગભાઈ
(૩) પરમાર વિજયભાઈ રૂમાલભાઈ
(૪) નાયક હરેન્દ્રસિંહ ગરવરસિંહ
(૫) ધોતી મુકેશકુમાર દેવાભાઈ
(૬) ભાભોર મહેન્દ્રભાઈ રમેશભાઈ
(૭) બાકલ્યા ગોવિંદસિંહ બાબુસિંહ
(૮) બારીયા રમેશભાઈ ચુનિયાભાઈ
(૯) હઠીલા બાબુભાઈ નન્સુભાઈ
(૧૦) પલાસ નગરસિંહ કસનાભાઈ
(૧૧) ડામોર ઝીથરાભાઈ ભુરાભાઈ
(૧૨) સોલંકી ભરતસિંહ વજેસિંહ
(૧૩) ભાભોર અમરસિંગભાઈ નારસિંગભાઈ
(૧૪) નાયક સુરેન્દ્રસિંહ ઉદેસિંહ
(૧૫) ભાભોર બાબુભાઈ મલાભાઈ
(૧૬) માવી મનુભાઈ નાથાભાઈ
(૧૭) કિશોરી કનૈયાલાલ બચુભાઈ
(૧૮) હઠીલા પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ
વેપારી મંડળના ઉમેદવારો
(૧) ભાભરાવાલા હુસેની અલીહુસેનભાઈ
(૨) રાઠી કમલેશકુમાર માંગીલાલ
(૩) અગ્રવાલ અજય બાબુલાલ
(૪) ખંડેલવાલ કૈલાશચંદ્ર મુક્તિલાલ
(૫) રાવત બુરહાન મનસુરભાઈ
(૬) શાહ શ્રીકાંત ચંદ્રકાંત
ભાજપે ત્રણ સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

દાહોદ જિલ્લા ભાજપે અનાજ માર્કેટની ચુટણીમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ બળવો કરી પાર્ટીનું શિસ્ત અને આદર્શનું ઉલ્લંઘન કરનાર ત્રણ ભાજપના સભ્યોને તમામ હોદ્દાઓ ઉપરથી 6 વર્ષ માટે સસ્પેડ કરતા ચકચાર મચી
દાહોદમાં એપીએમસીની ચુંટણી યોજાઈ રહી છે. ત્યારે તેની વચ્ચે ભાજપ કોંગ્રેસ અને સ્વતંત્ર ઉમેદવારોએ આ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે , ત્યારે ભાજપ શાસિત રહેલી દાહોદની અનાજ માર્કેટ સમિતીમાં ચુંટણીનું બયુગલ વાગતા જ રાજકીય સમીકરણો બદલાવા લાગ્યા હતા. અનાજ માર્કેટ સમિતીમાં સત્તા જાળવી રાખવા માટે અને સત્તા હાસલ કરવા માટે મરણીયો પ્રયાસ કરવામાં આવતો હોય તેમ હાલના તબક્કે જોવા મળી રહ્યું છે. જેમાં માર્કેટ સમિતિનું ખરીદ વેચાણ સમિતીમાં એક ફોર્મ રદ થયું ત્યારે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બે ઉમેદવારો બિન હરીફ જાહેર થયાં હતા વેપારી વિભાગમાં 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 6 ઉમેદવારો મેદાને છે ખેડુત વિભાગની બેઠકમાંથી 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 3 ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા 18 ઉમેદવારો વચ્ચે મુકાબલો રહેવાનો છે જયારે ભાજપ પક્ષે મેન્ડેટ વિરુદ્ધ જનારા પક્ષના ત્રણ હોદ્દેદારો ઉપર ડંડો ચલાવતા 6 વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખે તેમને પાર્ટીના તમામ પદો પરથી સસ્પેન્ડ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે અને શહેરમાં ચોમેર ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપે એકજ દિવસમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને અપક્ષમા ઉમેદવારી કરનાર 3 ભાજપના હોદ્દેદારો વિરુદ્ધ કાર્યવાહી કરતા આ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. ભાજપ જિલ્લા પ્રમુખે ત્રણ ભાજપના હોદ્દેદારો કમલેશ ભાઈ રાઠી નગરસિંહ પલાસ અને મનુભાઈ માવીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર દાહોદ એપીએમ.સી. ની સામાન્ય ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીના અધિકૃત મેન્ડેટના ઉમેદવારોની સામે અપક્ષ ઉમેદવારી કરવા માટે તથા પાર્ટીનું શિસ્ત અને આદર્શોનું ઉલ્લંઘન કરવા માટે નીચે મુજબના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યને ભારતીય જનતા પાર્ટી ની તમામ સદસ્યતા તથા તમામ હોદ્દાઓ ઉપરથી તાત્કાલિક અસરથી આગામી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે ભાજપ જિલ્લા પ્રમુખનો આ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા દાહોદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે હવે આ મામલે નવો વળાંક શુ આવે છે તેના ઉપર સોં કોઈ મીટ માંડીને બેઠા છે