Dahod

દાહોદના નસીરપુર ગામે નદીમાં નાહવા પડેલા બે બાળકો ડૂબ્યા,એક નો બચાવ એક નું મોત…

દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલી નદીમાં બે બાળકો પાણીમાં ડુબી જતાં બે પૈકી એક બાળકનું મોત નીપજ્યુ જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

દાહોદ શહેરના મોટીઘાંચીવાડા વિસ્તારમાં રહેતાં ૦૬ જેટલા બાળકો દાહોદ તાલુકાના નસીપુર ગહામે આવે નદીમાં આજરોજ બપોરના સમયે ન્હાવા માટે ગયાં હતાં. આ બાળકો ન્હાવા માટે નદીમાં ઉથરતાની સાથે ૦૬ પૈકી ૦૨ બાળકો નદીના પાણીમાં ડુબવા લાગ્યાં હતાં જેને પગલે અન્ય બાળકોએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. બંન્ને બાળકોને નદીના પાણીમાંથી બહાર કાઢવા માટે સ્થાનીક તરવૈયાઓ દ્વારા નદીમાં છલાંગ લગાવી હતું પરંતુ બે બાળકો પૈકી મોહનીસન ભુંગા નામક બાળક નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથેના બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. મૃતક બાળકના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે મૃતક બાળકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.


Most Popular

To Top