Vadodara

ગોરવામાં દિવ્ય દર્શન એપાર્ટમેન્ટનાં ટેરેસ પરથી અજાણી વ્યક્તિની મોતની છલાંગ…..


વડોદરા શહેરના ગોરવા ગામ નજીક દિવ્ય દર્શન એપાર્ટમેન્ટનાં ટેરેસ પરથી એક અજાણી વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી. ચોથા માળે આવેલ ટેરેસ પરથી છલાંગ લગાવ્યા બાદ અજાણ્યો વ્યક્તિ એપાર્ટમેન્ટ સોસાયટીના બ્લોક નંબર ૬ અને ૭ ની વચ્ચે પડ્યો હતો. આ ઘટનાથી સમગ્ર સોસાયટીમાં ચકચારી ઉઠવા પામી હતી. આ વ્યક્તિ કોણ છે ક્યાંથી આવ્યો હતો તેની માહિતી સોસાયટીના કોઈ રહીશોને ન હતી. આ ઘટનાની જાણ થતા જ ગોરવા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ચોથા માળે થી પડ્યા બાદ વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અજાણ્યા વ્યક્તિના મૃતદેને પોસ્ટમોટમ માટે સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

ગોરવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે મોડી સાંજે પોલીસને કંટ્રોલમાં વર્દી મળી હતી કે એક અજાણી વ્યક્તિ દિવ્ય દર્શન એપાર્ટમેન્ટનાં ધાબા પરથી પટકાયેલ છે. કોલ મળતા જ પોલીસ ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ અજાણી વ્યક્તિ ક્યાંથી આવી હતી? કોણ છે અને કયા કારણોસર આ પ્રકારે ધાબા પરથી તેના દ્વારા છલાંગ લગાવવામાં આવી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની વધુ માહિતી પોલીસ તપાસ બહાર આવશે.

Most Popular

To Top