Charotar

ગણપતિ વિસર્જન વખતે બિલોદરા પાસે શેઢી નદીમાં મંજીપુરા ગામના બે યુવાનો ડૂબ્યા


(પ્રતિનિધિ) નડિયાદ, તા.8
નડિયાદ તાલુકાના બિલોદરા ગામમાંથી પસાર થતી શેઢી નદીમાં આજે બે યુવાનો ડૂબ્યા હોવાની બિના બની છે. ગણપતિ વિસર્જન માટે આવેલા બે યુવકો શેઢીના વહેણમાં તણાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઘટના સ્થળે કોઈ પણ જાતની પોલીસ સુરક્ષા વિના આજે ગણપતિ વિસર્જન ચાલી રહ્યુ હતુ. દરમિયાન આ ઘટના બની છે.
મળતી માહિતી મુજબ મંજીપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી રવિકુંજ સોસાયટીના કેટલાક લોકો આજે દોઢ દિવસે ગણપતિ વિસર્જન માટે બિલોદરા પાસેની શેઢી નદીના કાંઠે પહોંચ્યા હતા. આ વિસર્જન વખતે સંદીપભાઈ મકવાણા (ઉં.37) અને કેતન મહેરીયા (ઉં.32) શેઢી નદીના વહેણમાં તણાયા હોવાની માહિતી મળી છે. આ બંને યુવકો વિસર્જન વખતે નદીમાં ડૂબ્યા છે. આજના વિસર્જન દરમિયાન અત્રે શેઢી નદીના કાંઠે જિલ્લા પોલીસ દ્વારા કોઈ પોલીસ બંદોબસ્ત મુકાયો નહોતો. જ્યાં લોકોએ જીવના જોખમે વિસર્જન કરી રહ્યા હતા અને આ દરમિયાન આ બિના બની છે. હાલ તો આ બંને યુવકોની શોધખોળ ચાલી રહી છે. તેમજ પરીવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

Most Popular

To Top