Vadodara

..ગણપતિ એ ભોગ ગ્રહણ કર્યો? લોકટોળા ઉમટ્યા…

શ્રી દયાળભાઉ બાળ યુવક મંડળદ્વારા સ્થાપિત શ્રીજીનેછપ્પનભોગ અર્પિત કરતાં શ્રીજીએ ભોગ ગ્રહણ કર્યો હોવાની વાતો લોકટોળાં દર્શને.

ગણેશચતુર્થી પર્વેથી સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યું છે. શ્રધ્ધાળુઓએ પોતાની આસ્થા પ્રમાણે શ્રીજીની સ્થાપના કરી છે તથા માનતા મુજબના દિવસોએ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે હજી આવતીકાલે છેલ્લા વિસર્જન થનાર છે ત્યારે શહેરના વિવિધ શ્રીજીને શ્રધ્ધાળુઓ પોતાની આસ્થા પ્રમાણે પૂજન અર્ચન ભોગપ્રસાદી અર્પણ કરી રહ્યાં છે ત્યારે શહેરના રાજમહેલરોડ જૂની કાછિયા પોળ સ્થિત દયાળભાઉ ના ખાંચામાં દયાળભાઉ બાળ યુવક મંડળ દ્વારા સ્થાપિત શ્રીજીને છપ્પનભોગ અર્પણ કરવામાં આવ્યો હતો દરમિયાન શ્રીજીએ છપ્પનભોગ ગ્રહણ કર્યો હોવાનું જણાતા આસપાસના શ્રધ્ધાળુઓ દર્શને પહોંચ્યા હતા. આસ્થાને પ્રમાણ કે સાક્ષ્યની જરૂર નથી હોતી. અમે કોઇ વાતની ચોક્કસ પુષ્ટિ નથી કરી શકતા પરંતુ શ્રધ્ધાળુઓ ની આસ્થાને નકારતા પણ નથી.

Most Popular

To Top