Kalol

કેવાયસી કરાવવા કાલોલ મામલતદાર કચેરીમાં આવેલા સંખ્યાબંધ લોકો લાઈટ બંધ હોવાથી પરેશાન

વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય યોજના માટે આવેલા લોકોને ધરમનો ધક્કો થયો
કાલોલ :
કાલોલ મામલતદાર કચેરી ખાતે વહેલી સવારથી તાલુકાના ગામોમાં થી વિધવા સહાય યોજના તેમજ વૃદ્ધ અને નિરાધાર પેન્શન યોજના હેઠળ કેવાયસી કરાવવા માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. પરંતુ સવારે ૮ કલાકથી એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે મામલતદાર કચેરીમાં લાઈટ ન હોવાથી કેવાયસી કરાવવા આવેલા સંખ્યાબંધ મહિલાઓ ભારે પરેશાન જોવા મળી હતી.

કાલોલ મામલતદાર સ્ટાફ આશિયાના સોસાયટીમાં દબાણ હટાવવાની કામગીરીમાં વ્યસ્ત હતો. મીડિયા દ્વારા મામલતદારનું ધ્યાન દોરી કેવાયસી કરાવવા આવેલા લોકોને યોગ્ય જવાબ પાઠવવા જણાવતા મામલતદારની સૂચના બાદ લાભાર્થીઓને આજ રોજ કેવાયસી નુ કામ બંધ રહેશે તેવુ જણાવ્યું હતું અને રાહ જોઈ બેસી રહેલા લોકો પોત પોતાના ઘરે જવા નીકળ્યા હતા.

Most Popular

To Top