Vadodara

એસ.એસ.જી હોસ્પિટલમાં નવી આઇસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું



એમ્બ્યુલન્સમાં ડાયફેબ્રીલેટર , વેન્ટિલેટર, સિરીંજ પંપ સાથે જ આધુનિક ટેકનોલોજી સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

મધ્ય ગુજરાતની સૌથી મોટી એસ.એસ.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર અને આર. એમ. ઓ ચૌહાણના હસ્તે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી નવી આઇસીયુ એમ્બ્યુલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સાથે વડોદરા જિલ્લામાં 42 કાર્યરત 108 એમ્બ્યુલન્સ સાથે આઇસીયુ ઓન વ્હીલ જે ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે. જેનો લાભ વડોદરા જિલ્લાના તમામ નાગરિકોને મળશે. આ એમ્બ્યુલન્સ ડાયફેબ્રીલેટર , વેન્ટિલેટર, સિરીંજ પંપ સાથે જ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવામાં આવી છે.

આ પ્રસંગે SSG હોસ્પિટલના જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ, આરએમઓ અને 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર બીપીનભાઈ, જિલ્લા સુપરાઈઝર, જીતેન્દ્રભાઈ ત્રિપાઠી અને નઝીર વહોરા સાથે જ 108 ની ટીમ ઉપસ્થિત રહી હતી.

Most Popular

To Top