Vadodara

આવતીકાલે પાણીગેટ ટાંકીમાંથી ત્રણ કમાન્ડ વિસ્તારમાં પાણી મળશે નહીં

હયાત નળીકાને બદલવાના કામથી પાણી વિતરણ બંધ

આવતીકાલે પાણીગેટ ટાંકીમાંથી ત્રણ કમાન્ડ વિસ્તારમાં પાણી મળશે નહીં

શહેરમાં પાણી પુરવઠા તંત્ર દ્વારા હયાત પાણીની નળીકાને બદલવાનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામગીરીના કારણે પાણીગેટ પાણીની ટાંકીમાંથી તા. 18 જાન્યુઆરી 2025 શનિવારના રોજ સાંજના સમયે ત્રણ કમાન્ડ વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. આ કારણે આશરે પચાસ હજાર નાગરિકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

પાણીગેટ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આવતા ત્રણ ઝોનમાં શનિવારે સાંજનું પાણી ઉપલબ્ધ રહેશે નહીં :

વાઘોડીયા રોડ વિસ્તાર : સાંજે 4:00 થી 5:00

ફતેપૂરા વિસ્તાર : સાંજે 5:30 થી 6:30

રાવપુરા કીશનવાડી વિસ્તાર : સાંજે 6:30 થી 7:30

મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા જતા માર્ગ પર, પંચમુખી હનુમાનજી મંદિર પાસેની 500 મીમી વ્યાસની જૂની નળીકાને 400 મીમી વ્યાસની નવીન નળીકા સાથે જોડવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરી શનિવારે સવારે શરૂ થશે.

શનિવારે ઉપર જણાવેલા વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય, પરંતુ રવિવાર, 19 જાન્યુઆરી 2025થી પાણીનું વિતરણ નિયમિત સમયાનુસાર ચાલુ થઈ જશે. નાગરિકોને તંત્ર દ્વારા આ જાહેરાતથી આગોતરી તૈયારી રાખવા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top