Madhya Gujarat

આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 11થી 30 સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે



પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 11 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.

1. ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
3. ટ્રેન નંબર 09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતીટ્રેનો:
• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 11.09.24, 18.09.24 અને 25.09.24 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગેરતપુર – આણંદ – બાજવા – છાયાપુરી – ગોધરા થઈ ને ચલાવવામાં આવશે.
• ટ્રેન નંબર 20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ 15.09.24, 22.09.24,અને 29.09.24ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગોધરા – છાયાપુરી – બાજવા – આણંદ – ગેરતપુર થઈ ને ચલાવવામાં આવશે.

રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Most Popular

To Top