( પ્રતિનિધિ )વડોદરા,તા.8
અંકોડિયા ગામમાં ખુલ્લા ખેતરમાં બનાવેલા ફરાસખાનાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડની 3 સ્ટેશનની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આગને પગલે ફરાસખાનાના ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નથી. પરતું, મોટી માત્રામાં નુકશાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે.

વડોદરા નજીક અંકોડિયા ગામના એક ખુલ્લા ખેતરમાં બનાવાયેલા ફરાસખાનાના ગોડાઉનમાં ભયંકર આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી ગઈ હતી. આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડના ત્રણ સ્ટેશનના ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા.

ગોડાઉનમાં મોટી માત્રામાં ફરાસખાનાનો સામાન રાખવામાં આવ્યો હતો. જે આગને કારણે સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો હતો. આગ એટલી પ્રચંડ હતી કે, ફાયર જવાનોને આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું ગંભીર નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. જોકે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું.
