Vadodara

બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે વિશ્વ યોગ દિવસ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવામાં આવ્યો

યોગાચાર્ય હરીશભાઈ વૈદ્યના માર્ગદર્શન હેઠળ 200 ભાઈઓ અને બહેનોએ યોગનો અભ્યાસ કર્યો

યોગ દિવસના શુભ પ્રસંગે, ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત રીતુબેન અને મિતલબેન , જ્ઞાન યજ્ઞ શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ પંડ્યા અને ઉદ્યોગપતિ મિલનભાઈ કોલ્હે પણ હરીશભાઈ સાથે યોગ કરવા આવ્યા હતા અને શાળાની 40 વિદ્યાર્થિનીઓએ પણ યોગ સત્રમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત આદરણીય મહેમાનો અને સેવા કેન્દ્રના ડિરેક્ટર બીકે ડૉ. અરુણાબેન અને સહ-નિર્દેશક બીકે પૂનમબેન દ્વારા દીપપ્રાગટ્ય કર્યું , પોતાની શુભકામનાઓ વ્યક્ત કરતા બીકે ડૉ. અરુણાબેન એ જણાવ્યું હતું કે યોગ એ આપણા શરીર અને મન બંનેને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટેનું શ્રેષ્ઠ જ્ઞાન છે, તેને અપનાવીને આપણે એક મજબૂત સમાજ અને સુવર્ણ ભારત બનાવવાના શુભ સંકલ્પ સાથે આગળ વધવું પડશે.

બ્રહ્માકુમારી બહેનોએ મહેમાનોનું તિલક લગાવીને અને દિવ્ય ભેટો આપીને સ્વાગત કર્યા પછી, હરીશ ભાઈ, રીતુ બહેન અને મિત્તલ બહેને સ્ટેજ પરથી ભાઈઓ અને બહેનોને વિવિધ પ્રકારની યોગ કસરતો કરાવડાવી અને દરેક કસરતના ફાયદા અને તે કયા રોગને મટાડવામાં કેવી રીતે મદદ કરે છે તે સમજાવ્યું. આ વિષયો પર ભાઈઓ અને બહેનોને મૂલ્યવાન માહિતી પણ આપવામાં આવી. લગભગ 1 કલાક સુધી, ભાઈઓ અને બહેનોએ વિવિધ યોગ કસરતો અને પ્રાણાયામ કર્યા અને મૂલ્યવાન માહિતીનો લાભ લીધો.

અંતે, બી.કે. પૂનમ બહેને બધા મહેમાનો અને ભાઈઓ અને બહેનોનો આભાર માન્યો અને કાર્યક્રમ પૂર્ણ થયો.

Most Popular

To Top