દાહોદ :
દાહોદ તાલુકાના દેલસર ગામે એક 26 વર્ષીય પરિણીતાને કપડાં ધોતી વેળાએ લાઈટના થાંભલાનો કરંટ લાગતા મોત થયાનું જાણવા મળે છે.
દાહોદના દલસર ગામે દેવ ડુંગરી ફળિયામાં રહેતા 26 વર્ષીય પરણીતા ગીતાબેન રોહિતભાઈ ભુરીયા આઠમી મેના રોજ પોતાના ઘરની પાછળના ભાગે કપડાં ધોતા હતા. તે સમયે ઘરની બાજુમાં આવેલા લાઈટના થાંભલાને ગીતાબેન અકસ્માતે અડી જતા ગીતાબેનને શરીરે સખત વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે ગંભીર ઇજાગ્રસ્ત ગીતાબેનને પરિવારજનો દ્વારા નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ગીતાબેનને સારવાર મળે તે પહેલા જ દવાખાનાના તબીબોએ ગીતાબેનને મૃત જાહેર કર્યા હતા. પરણીતા ગીતાબેનના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે રોહિતભાઈ શંકરભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ થઇ છે.
