Vadodara

શિવરાત્રીએ સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત પ્રતિમા ખુલ્લી મુકાશે

વડોદરા: વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષો થી નીકળતી શિવજી ની સવારી શિવરાત્રી નજીક આવતા જ ભોળા નાથની સવારીની પૂરજોશમાં તૈયારી આરભી દેવાઈ છે. શિવજી કી સવારી માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહા શિવરાત્રિના પાવન દિવસે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.શહેરના મધ્ય માં સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમા હવે સુવર્ણજડિત થઇ જતા મહાશિવરાત્રી પર્વે ખુલ્લી મૂકવામાં માટે અનાવરણ કરાશે અને શિવજી નગર જનો ને દર્શન આપશે.

 સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 2017માં મિત્રો સમક્ષ શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી આદર્શીનીય પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યકત કરી હતી. યોગાનુયોગ 5 ઓગષ્ટ 2020ના દિને એકબાજુ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો. અને બીજી બાજુ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સૂવર્ણ આવરણ ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.

શિવજીની પ્રતિમાને સુવર્ણ જડિત કરવા માટે અમેરિકામાં સ્થાયી ડૉ.કિરણ પટેલ અને દેશ- વિદેશના અનેક દાતાઓએ 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલોગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા 12 કરોડના અંદાજીત ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપ્યુ છે. અને આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણ જડિત થઇ છે. જેનુ લોકાર્પણ આગામી તા.18 ફેબ્રુઆરી મહાશિવરાત્રીની સંધ્યાએ થવા નું છે શિવ ભક્તો માં અનેરો આનંદ જોવા મળે છે.

વડોદરામાં મહા શિવરાત્રીની બપોરે 3-30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નિકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી-ચોખંડી- માંડવી-ન્યાયમંદિર-માર્કેટ-દાંડીયાબજાર થઇ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે. જયાં 7-15 કલાકે મહાઆરતી યોજાશે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે અને મુખ્ય મહેમાનો દ્વારા સુવર્ણ જડિત પ્રતિમા ખૂલ્લી મુકાશે.

મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે. શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણના કાર્યનો 1996 માં શરૂ થયેલા અધ્યાયની સુવર્ણ જડિત આવરણના અનાવરણ સાથે પૂર્ણ થશે. આ કાર્યમાં સહભાગી બનેલા ડૉ. કિરણ પટેલ, શ્નિલેશ શુક્લ, ક્રેડાઇના અધ્યક્ષ અને જાણીતા બિલ્ડર મયંક પટેલ, બિલ્ડર શ્રેયસ શાહ અને પિયુષ શાહે યોગદાન આપ્યું છે.

Most Popular

To Top